________________
પર
પાપ, પુણ્ય અને સંયમ ગૌત્ર – હે ભગવન! એ નંદિવર્ધન કુમાર અહીંથી ભરીને ક્યાં જશે?
મહાવીર – હે ગૌતમ! તે કુમાર અહીં પોતાનું સાઠ વર્ષનું આયુષ્ય પૂરું કરી, આજે મરણ પામી, રત્નપ્રભા પૃથ્વીમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. પછી લાંબે કાળ જુદી જુદી યોનિઓમાં ભટકી, અંતે તે હસ્તિનાપુર નગરમાં માછલું થશે. ત્યાં માછીઓ વડે મરાઈને, તે તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુએ દ્વારા સદુપદેશ સાંભળી, તે પણ સાધુ થશે અને તપ-સંયમાદિ. બરાબર આચરશે. પછી તે સૌધર્મકલ્પમાં દેવ થશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચ કુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં તે સાધુ થઈ સંયમાદિ બરાબર પાળશે, અને અંતે સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થઈ, સર્વ દુઃખનો અંત લાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org