________________
દ્
નંદિવર્ધનની કથા
જૂના કાળમાં મથુરા નગરીમાં શ્રીદામ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ અધુશ્રી હતું, અને પુત્રનું નામ નંદિવર્ધન હતું. શ્રીદામને સુબંધુ નામે પ્રધાન હતા. તે પ્રધાનને અહુમિત્રાપુત્ર નામે પુત્ર હતા. તે નગરીમાં ચિત્ર નામે હજામ રહેતા હતા. રાજાની હજામત, સ્નાન, ટાપટીપ વગેરે અલકારિકનું કામ તે કરતા; અને તેથી તેને રાજાની પાસે અંતઃપુર સુધી સર્વત્ર જવા-આવવાની છૂટ હતી. એક વખત મહાવીરસ્વામી ત્યાં કરતા કરતા આવી પહેાંચ્યા. ભિક્ષાકાલે તેમના પટ્ટશિષ્ય ગૌતમ નગરીમાં કરતા હતા. તેવામાં તેમણે એક પુરુષને નીચે પ્રમાણે કમેતે મારી નખાતે! જોયા. પ્રથમ તેને લાલચેાળ તપાવેલા લેાઢાના એક સિંહાસન ઉપર એસાડવામાં આવ્યા. પછી લાલચેાળ તપાવેલા લેાઢાના કળશા વડે ઊકળતું તાંબુ, ઊકળતી *લાઈ, ઊકળતું સીસું, ઊકળતું ચૂનાનું પાણી, તેમજ ઊકળતા તેજામા તેના માથા ઉપર રેડીને તેના રાજ્યાભિષેક કરવામાં આવ્યેા. ત્યાર બાદ સાંડસા વડે લાલચેાળ તપાવેલા લેાઢાને
૧ તેને માટે અલકારિક શબ્દ મૂળમાં છે.
.
૨ મૂળમાં
ક્ષારđલ શબ્દ છે.
Jain Education International
f
·
>
For Private & Personal Use Only
www.jainelibrary.org