________________
પા૫, પુણ્ય અને સંયમ વેદની વિદ્યામાં કુશળ હતો. તે મહેશ્વરદત્ત જિતશત્રુ રાજાના રાજ્યનું બળ વધે તે માટે રોજ સવારે એક બ્રાહ્મણ છેકરાને, એક ક્ષત્રિય છોકરાને, એક વૈશ્ય છેકરાને અને એક શદ્ર છોકરાને પકડાવી મંગાવતો, અને જીવતો-જીવત તેઓની છાતી કાપીને તેમાંથી માંસપિંડ બહાર કઢાવતે, તથા તે વડે જિતશત્ર રાજાને માટે શાંતિહોમ કરતો. વળી, આઠમ અને ચૌદશને દિવસે તો તેવા બે બે છોકરાઓનાં હૃદય તે હેમતે. ચતુર્માસ પૂરા થાય ત્યારે તેવા ચાર-ચાર છોકરાઓનાં હૃદય હેમતો; છ માસ પૂરા થાય ત્યારે આઠ-આઠ છોકરાઓનાં હૃદય હામ, અને આખું વર્ષ પૂરું થાય ત્યારે સેળ-સેળ છોકરાઓનાં હૃદય હેમતે. જ્યારે જિતશત્રુ રાજાને બીજા કઈ રાજા સાથે લડાઈ ચાલતી હોય, ત્યારે તો તે આઠઆઠસો છોકરા પકડાવીને આઠ-આઠસો હદય હમતો, જેથી રાજા જલદી શત્રુસૈન્યનો નાશ કરી શકે છે, તેને પાછું ભગાડી મૂકે. આ પ્રમાણે કરતાં કરતાં ઘણું મોટું પાપ ભેગું કરીને તે પુરોહિત પોતાનું ત્રણ હજાર વર્ષનું આયુષ્ય પૂરું થતાં પાંચમી નરકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થયા. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ૧૭ સાગરોપમ વર્ષોનું હોય છે.
ત્યાંથી ચવીને તે કૌશાંબી નગરીમાં સેમદત્ત પુરોહિતની સ્ત્રીની કૂખે પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનાં માતાપિતાએ તેનું નામ બૃહસ્પતિદત્ત પાડયું.
બૃહસ્પતિદત્ત ઉદયન રાજકુમાર સાથે જ રમત-ઊછરતો મેટ થવા લાગ્યું. તે બંને જુવાનીમાં આવ્યા તે અરસામાં શતાનીક રાજા મૃત્યુ પામ્યા, એટલે પ્રજાજનોએ અને દરબારીએએ ઉદયન કુમારને રાજા તરીકે અભિષેક કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org