________________
અભસેનની કથા જૂના કાળમાં પુરિમતાલ નામે નગરમાં મહાબલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરના ઈશાન ખૂણામાં સરહદ ઉપર એક ઝાડી હતી. તે ઝાડીમાં “શાલાટવી” નામને ચેરેને એક અો હતો. તે અડ્ડો પર્વતના વિષમ ભાગમાં આવેલો હત; તેની આસપાસ વાંસની ગીચ ઝાડી હતી; તૂટી પડેલી મોટી મોટી ભેખડે વડે જ તેની આસપાસ વિષમ ખાઈ બની ગઈ હતી; તેની અંદર પાણીની પૂરતી સગવડ હતી, પણ તેની આજુબાજુ ક્યાંય પાણીનું નામનિશાન પણ નહોતું; તેમાં નાઠાબારીઓ અનેક હતી; તેની અંદર અમુક પરિચિત લોકો જ જા-આવ કરી શકતા હતા; તથા આ બધાં કારણોથી ગમે તેટલું મોટું લશ્કર તેની આસપાસ ધમપછાડા કર્યા કરે તો પણ તેનું કંઈ વળે તેમ નહોતું.
તે શાલાટવીમાં વિજય નામે ચેરેને સેનાપતિ રહેતો હતું. તે બહુ અધમ, કુશીલ તથા અનાચારી હતો, અને અધર્મી કૃત્યો વડે જ આજીવિકા ચલાવતો હતો. અનેક લોકે તથા પ્રાણુઓને હણવા–દવા–મેદવા-કાપવા વડે તેના હાથ લોહીથી ખરડાયેલા જ રહેતા હતા; તથા ચારે તરફનાં નગરમાં તેની હાક વાગી ગઈ હતી. તે બહુ શરવીર, દઢ પ્રહારી, સાહસિક, શબ્દવેધી, તથા તલવાર ચલાવવામાં એક્કો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org