________________
મૃગાપુત્રની કથા
ત્યાંથી ચ્યવીને તે આ મૃગાગ્રામ નગરમાં વિજય રાજાની મૃગાદેવી રાણીની કૂખે પુત્ર તરીકે ઉત્પન્ન થયે. તે ગર્ભમાં આવતાં જ મૃગાદેવીના શરીરે તીવ્ર વેદના ઊપડી. તેમજ તે ગર્ભમાં રહ્યો તેટલા દિવસ મૃગાદેવી વિજય રાજાને અપ્રિય તથા અકારી થઈ પડી. એક વખત રાત્રીના પૂર્વ ભાગના અંતમાં અને અપર ભાગની શરૂઆતમાં મુગાદેવી આ બધી કૌટુંબિક ચિંતાઓથી જાગતી જ પડી હતી, તેવામાં તેને આ પ્રમાણે વિચાર આવ્યો : “પહેલાં હું વિજય રાજાને ઈષ્ટ, કાંત, પ્રિય, તથા મનગમતી હતી, તથા મને તે મનેહર, મનમાં ચિંતવવા યોગ્ય, વિશ્વાસ કરવા યોગ્ય, તથા માનીતી ગણતા હતા. પરંતુ જ્યારથી આ ગર્ભ મારી કૂખમાં આવ્યો છે, ત્યારથી હું તેમને અનિષ્ટ, અપ્રિય તથા અકારી થઈ પડી છું. વિજયરાજા મારું નામ કે ગોત્ર સાંભળવા પણ ઈચ્છતા નથી, તો પછી મને જોવાની કે ભોગવવાની ઇચ્છા તો શાની જ કરે ? માટે હું મારા આ ગર્ભને વિવિધ ઉપાયો વડે ટુકડેટુકડા કરી કાઢી નાખું, પાડી નાખું, ઓગાળી નાખું, કે મારી નાખું.”
આમ વિચારી, તેણે ગર્ભસ્ત્રાવ કરાવનારા અતિ ખારા, અતિ કડવા, અતિ તૂરા વગેરે પદાર્થો ખાવા-પીવા માંડ્યા, પરંતુ એ બધા ઉપાયો કરવા છતાં તે ગર્ભ પડો નહિ. ત્યારે મૃગાદેવી થાકીને, નિરાશ થઈ પરવશપણે તે ગર્ભને મહા દુઃખે ધારણું કરવા લાગી,
પેલો છોકરે ગર્ભમાં હતો હતો ને જ, તેના શરીરમાં આઠ અંદર ઝરનારી અને આઠ બહાર કરનારી એમ સળ નાડીઓ ઉત્પન્ન થઈ તે સેળમાંથી આઠ નવું પરુ ઝરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org