________________
સ્તુતિ મહાવીર ભગવાન ધર્મના આદિકર્તા છે; તીર્થકર છે; અન્યને ઉપદેશ વિના સ્વયં તત્ત્વબોધ પામેલા છે; પુરુષોમાં શ્રેષ્ઠ છે; સકલ લોકમાં શ્રેષ્ઠ છે; સમગ્ર જગતના નાથ, પ્રદીપરૂપ, પ્રકાશક, અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્ર આપનાર, માર્ગ પ્રદર્શક, કેવલજ્ઞાની, શઠતારહિત, રાગદ્વેષને જીતનાર, જિન, સકલ તત્વના જ્ઞાતા, જાતે બુદ્ધ અને મુક્ત હાઈ અન્યને બેધ તેમ જ મુક્તિ અપાવનારા, સર્વજ્ઞ, અને સર્વદર્શી છે; તથા શિવ–અચલ-રોગરહિત–અનંત-અક્ષયવ્યાબાધરહિત-અને પુનરાવૃત્તિરહિત એવા સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. તેમણે અનુત્તરૌપપાતિકદશા નામનું નવમું અંગ આ પ્રમાણે કહેલું છે.
આ અંગમાં એક જ ખંડ છે; પણ ત્રણ વર્ગો છે. તે ત્રણ દિવસ થઈને પૂરા કરવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org