________________
માનવાનું તેમનું વલણ સવિશેષ છે. કાયદાની પરિભાષામાં કહીએ તો, દરેક પાપ એ વસ્તુતાએ રાજા પ્રત્યે (અર્થાત સમાજ પ્રત્યે) કે ઈશ્વર પ્રત્યે ગુને નથી, પરંતુ પિતાને જ આત્મા પ્રત્યે ગુનો છે.
એ બધા પાપીઓને શાસ્ત્રકારે “સાગરોપમ વર્ષો સુધી નરક યાતના વેઠતા તેમ જ લખચેરાસીમાં વારંવાર ભ્રમણ કરતા બતાવ્યા છે, અને એ પ્રમાણે લગભગ સંખ્યાતીત વર્ષો સુધી તેમને પિતાના પાપની શિક્ષા બતાવતાં જાણે તે થાકતા જ નથી. સામાન્ય રીતે તો એમ જ માનવું પડે કે, એક જન્મમાં કરેલા મહાપાપનું ફળ જે આટલા બધા દીર્ધકાળ સુધી વેઠવ્યા જ કરવાનું હોય, તો પાપીને તે કદી તરવાનો આર જ નથી. કારણ કે જન્મજન્મ જે અધમયોનિમાં તેને જન્મ લે પડવાને, તે એનિમાં વધુ પાપકર્મો કરવાની જ તેને તક કે પ્રેરણા મળ્યા કરવાની. પરંતુ શાસ્ત્રકારને એ વસ્તુ ઈષ્ટ નથી. તેથી દરેક પાપી, ગમે તેટલે લાંબે કાળે પણ આપોઆપ – સુમાગે આવી પહોંચે છે, અને છેવટે મુક્તિમાર્ગે પિતાની મુસાફરી શરૂ કરી શકે છે. છેવટે તેમ શાથી બને છે, એ કહેવાનો પ્રયત્ન શાસ્ત્રકાર નથી કરતા. તેમની કથાવસ્તુ ઉપરથી તે એમ જ માનવું પડે કે, જાણે આત્માની પોતાની જ એવી કંઈક સ્વભાવગત ગ્યતા છે કે, ગમે તેટલી અધોગતિ થવા છતાં, છેવટે તે ઉન્નતિને માર્ગે અવશ્ય આવવાને જ. જૈન શાસ્ત્રકાર આ બાબતમાં ગોશાલક આજીવિકા મત સુધી જાણે પહોંચી જાય છે. ગોશાલક પણ એવું જ માનતા કે. અમુક ભ્રમણ કર્યા પછી, જીવાત્મા આપોઆપ મુક્તિને માર્ગે આવી જ પહોંચવાને. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org