________________
પ્રાચીન શીલકથાઓ
૧
કાણુ માર્ગ આપે ?
પિતાના મરણુ ખાદ માદત્તકુમાર વારાણસીની રાજગાદીએ આવ્યા. તે ધમપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. તે ન્યાયી હતા, તથા નિષ્પક્ષપાતપણે બધા ઝઘડા ચૂકવતા હતા. રાજા ન્યાયી હોય, એટલે તેના અમલદારે પણું ન્યાયી થાય જ. પરણામે લેાકા ફિરયાદો કરતા બંધ થયા, અને પેાતાની મેળે ન્યાયપૂર્વક વર્તવા લાગ્યા. રાજદરબારને આંગણે ફરિયાદ કરવા આવનારાઓની ભીડ તથા ધમાલ બંધ થઈ ગઈ; અને ન્યાયાધીશે આખા દિવસ ન્યાયસભામાં કામ વિના જ બેસી રહેવા લાગ્યા.
આ જોઈ બ્રહ્મદત્તે વિચાર્યું” કે, ‘હું ધપૂર્વક રાજ્ય કરું છું, તેથી લેકમાં કજિયા-કંકાસ તથા દુરાચાર દૂર થયા છે. હવે મારા પોતામાં કઈ દોષ રહ્યા છે કે નહિ, તે મારે જોઈ લેવું જોઈએ; અને કોઈ ઢોષ જણાય, તે તેને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ.’
આ વિચારથી તેણે પેાતાની આસપાસના લેાકેાને, પોતામાં કોઈ દોષ દેખાતા હાય તે જણાવવા માટે કહેવા માંડ્યું. પરંતુ બધા તેનાં વખાણ જ કરતા; કોઈ તેનામાં એક પણ દોષ બતાવતું નહિ.
૧. કાશી દેશનું બીજું નામ,
Jain Education International
७
For Private & Personal Use Only
www.jainelibrary.org