SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષની સાચી પૂજા અને વાસનાએમાંથી છૂટી શકયો નથી; તથા ભગવાને મતાવેલા માર્ગોમાં ખરાખર · સ્થિર થયે નથી. તે પછી ભગવાનના નિર્વાણ બાદ તેમના જેવા ભેામિયાની મદદ વિના હું આ ભવસાગર કેવી રીતે પાર કરી શકીશ ? માટે હજી જ્યાં સુધી ભગવાન જીવતા છે, ત્યાં સુધી મારાથી બનતે બધા પ્રયત્ન કરીને હું ભગવાને બતાવેલે માગે મારું ચિત્ત નિર્મળ તથા સ્થિર કરી લઉં, તેા કેવું સારું ? અહ આવેા વિચાર કરી, તિસ્સે ખીજા ભિક્ષુએ સાથે હળવા-મળવાનું કે વાતાચીતે કરવાનું છેડી દીધું, અને એકાંતમાં જઈ, ભગવાને બતાવેલી રીતે ધ્યાન કરવા માંડ્યુ. ભિક્ષુએ તેની આવી વર્તણુક જોઈ નારાજ થયા. તેએ બુદ્ધ પાસે જઈ કહેવા લાગ્યા કે, તિસ્સ ભિક્ષુને આપના પ્રત્યે કંઈ ભાવ-ભક્તિ રહ્યાં નથી; આપના નિર્વાણને સમય નજીક આવ્યે છે એમ જાણવા છતાં, તે મને તેટલેા વધુ સમય આપની સેવામાં તથા સેાબતમાં ગાળવાને બદલે એકલા કાંક પડી રહે છે; તથા અમારી સાથે પણ કાંઈ ખેલતા ચાલતા નથી. : બુદ્ધ ભગવાને આ સાંભળી, તરત તિસ્સને પેાતાની પાસે ખેલાવી મગાવ્યા, અને તેને આ બધાનું કારણ પૃથ્થુ. તિસે જવાબ આપ્યા “ હે પ્રભુ ! જ્યારથી આપે જણાવ્યું છે કે, આપ ચાર માસમાં નિર્વાણુ પામવાના છે, ત્યારથી મેં મારા મન સાથે નક્કી કર્યું છે કે, જ્યાં સુધી આપ હજી અમારી વચ્ચે માબૂદ છે, ત્યાં સુધીમાં મનતા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy