SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કુરુધર્મ અપરાધ થઈ ગયેલ છે, તેથી મારે ધર્મ ખંડિત થયેલ છે. અમારા રાજ્યમાં દર ત્રણ વર્ષે કાર્તિક મહિનાને મેળે ભરાય છે. તે વખતે રાજા સવારી કાઢીને નગર બહાર ચિત્રરાજ યક્ષને મંદિરે જાય છે. ત્યાં બધે વિધિ થયા પછી રાજા ચાર દિશામાં ચાર બાણે છેડે છે. આ વરસે મારાં ત્રનું બાણ કયાં પડ્યાં છે તે જોવામાં આવ્યું, પણ ચિથું બાણ સરોવરમાં ક્યાંક જઈને પડ્યું. તે બાણથી કઈ જળચર પ્રાણી જરૂર નાશ પામ્યું હશે. આમ, જીવહિંસા થવા પૂરતું મારે ધર્મ ખંડિત થયે કહેવાય. એટલે કુરુધર્મ લેવા માટે તમે મારી માતા પાસે જાઓ. તેને ધર્મ અખંડિત છે. અખંડ૫ણે ધર્મ પાળનાર પાસેથી લીધેલ ધર્મ જ ફળદાયી થાય છે.” પરંતુ કલિંગ દેશવાળાઓએ કહ્યું: રાજાજી, આપને ઈરાદે જીવહિંસા કરવાનો ન હતો. અજાણતાં થયેલા દેશથી આપને ધર્મ ખંડિત થયે એમ અમે માનતા નથી. માટે અમને આપ જ કુરુધર્મ આપે. રાજાએ કહ્યું ત્યારે લખે, “કેઈ પ્રાણીની હિંસા ન કરવી, કેઈની ચોરી ન કરવી, વ્યભિચાર ન કરે, અસત્ય ન બેલવું, અને મદ્ય ન પીવું. છતાં, તમે મારી માતા પાસે તે જાએ જ. પેલા બધા રાજમાતા પાસે પહોંચ્યા. રાજમાતાએ તેમની વાત સાંભળીને નિસાસો નાખી કહ્યું: “મારે ધમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy