SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવિજિત રાજાને યજ્ઞ આપે, અને જેઓ નોકરી કરવા ઈચ્છે છે, તેમને રેગ્ય નોકરી આપે. આ રીતે સર્વ માણસે પોતપોતાના મનગમતા કામમાં લાગી ગયા પછી આપના રાજ્યમાં તેફાન રહેવાનો સંભવ નથી. વખતસર કર વસૂલ થતા રહેવાથી આપની તિજોરી ભરપૂર થશે, અને તોફાનીઓને ઉપદ્રવ ન રહેવાથી લોકે પિતાનાં બાળબચ્ચાંને કેડ પૂરા કરશે, તથા દરવાજા ઉઘાડા મૂકી નિર્ભયતાથી આનંદમાં રહેશે.” પરેહિતે બતાવેલે તેફાનોને બોબસ્ત કરવાને ઉપાય મહાવિજિત રાજાને પસંદ પડ્યો. પોતાના રાજ્યમાં ખેતી કરવાને સમર્થ એવા લેકેને બી વગેરે આપી, તેણે તેમની પાસે ખેતી કરાવી, નાનામોટા વેપારીઓને મૂડી આપી તેમને વેપાર વધાર્યો અને મેગ્ય માણસોને ચૂંટી કાઢી, સરકારી કામ ઉપર, યોગ્ય સ્થળે તેમની નિમણુક કરી. આ ઉપાયથી મહાવિજિતનું રાષ્ટ્ર ચેડા જ વખતમાં સમૃદ્ધ થયું. - ત્યાર બાદ રાજાએ પુરોહિતની સૂચનાથી રાજ્યમાં જાહેરનામું કઢાવીને પ્રજાને પુછાવ્યું કે, “મારે મારા પર લેકના હિત ખાતર યજ્ઞ કરે છે, તેમાં તમારા બધાની સંમતિ છે કે નહીં?” પ્રજાએ રાજીખુશીથી અને નિર્ભયતાથી રાજાને યજ્ઞ કરવા માટે સ્પષ્ટપણે અનુમતિ આપી. ત્યાર બાદ પુરોહિતની સલાહ મુજબ રાજાએ યજ્ઞ કર્યો. તેમાં ગાયે, બકરાં, મેંઢાં વગેરે પ્રાણ મારવામાં આવ્યાં નહીં; યજ્ઞસ્તો બનાવવા ઝાડે કાપવામાં આવ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy