SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રાચીન શીલકથાઓ બળવાનના બાહુ પસંદ કર્યા, ધમી સામું ન જોયું.” દશે દિશાના લેક કલ્પાંત કરતા બલવા લાગ્યા, “અમારું શિરછત્ર ચાલ્યું ગયું. સકળ જગતના બંધુ કેશલરાજના શત્રુને ધિક્કાર હશે !” નગરજનોનું એ કલ્પાંત સાંભળી, કાશીરાજ ગુસ્સાથી સળગી જવા લાગ્યા : “હરામખોરે ! તમારે સ્વામી હું હજુ જીવતે જાગતે છું, તે પછી આટલું બધું શાને રડી મરે છે? તમારે એ દાનેશરી હવે શું પાછું આવશે? કે મને હરાવીને પિતાનું રાજ્ય પાછું મેળવશે? ઠીક, ઠીક; પરંતુ જ્યાં સુધી તે જીવતે છે, ત્યાં સુધી તમે બધા તેનાં વખાણ છેડવાના નથી. માટે તેને નામશેષ કરી નાખવો એ જ યેગ્ય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, રેગ અને શત્રુનું જરાસરખું મૂળ બાકી રહેવા દેવું નહીં.” આમ વિચારી તેણે પોતાના મંત્રીને બેલાવીને કહ્યું, “મંત્રીજી, જાઓ, નગરમાં ઢંઢરે પિટા કે, જે માણસ કેશલરાજને મરેલો કે જીવતે પકડી લાવશે, તેને સહસ સેનામહેર ઈનામ આપવામાં આવશે. રાજાના નેકરે. રાતદિવસ ઠેર ઠેર ઘોષણા કરવા લાગ્યા. જે કઈ તે સાંભળતું, તે આંખ મીંચી, જીભ કરડી, કાને હાથ દબાવી દેતું. કોશલરાજ ફાટયાં-તૂટટ્યાં ગંદાં કપડાં પહેરી વનવગડામાં રખડ્યા કરતા હતા. એક દિવસ એક વટેમાર્ગુએ આંસુ-ભરેલે મુખે તેને પૂછ્યું, “ભાઈ કેશલદેશને રસ્તે કઈ બાજુ આવ્ય, બતાવીશ?” ૧. જેનું નામ જ બાકી રહ્યું છે તે, અર્થાત નષ્ટ, મૃત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy