SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ N અહે! પરમાત્માની મુખમુદ્રા કેવી શાંત અને મનેહુર છે. જે મુખથી કદી કોઈની નિંદા, ચાડી વગેરે પાપો થયા નથી, અસભ્ય, બિભત્સ કે વિવેકહીન શબ્દ ઉચ્ચારાયા નથી. જેમાં રહેલી જીભને કદી રસલાલસાનું પોષણ મળ્યું નથી, જે મુખમાંથી અનેક ભવ્યાત્માઓને ઉદ્ધાર કરનારી પાંત્રીસ ગુણથી ભરેલી વાણી પ્રગટ થઈ. એથી અનેક જેના સંદેહ દૂર થયા. હે જિનેન્દ્ર! આપની નાસિકા કેવી? જેનાથી સુગંધ કે દુધ પ્રત્યે રાગદ્વેષના મલીનભાને સ્પર્શ થયો નથી. હે દેવ ! આપની કમળ પાંખડી શી આંખડી કેટલી નિર્મળ અને નિર્વિકાર છે! એમાંથી શાંતરસનું અમી ઝરી રહ્યું છે. કૃપારસ વરસી રહ્યો છે. અજબ આત્મમસ્તીની ઝાંખી થાય છે. આ આંખોને ઉપગ ઉપસર્ગ કરનાર પ્રત્યે દ્વેષ કે ભક્તિ કરનાર પ્રત્યે રાગ પિષવામાં થયે નથી. એ જિનરાજ ! આપના આ નયનયુગલમાં નિષ્કારણ કણ, ભાવદયા, વિશ્વમત્રી, અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભાવનાનું દિવ્ય તેજ ચમકી રહ્યું છે. હે દેવાધિદેવ! આપના બે કોન પણ કેવા તદ્દન નિર્દોષ છે? એનાથી કેઈનાય સાચા જૂઠો દોષનું શ્રવણ કરી ઈષ્યવધક પાવી વૃત્તિઓનું પોષણ થયું નથી. ગાદિ, વિકારક, તેમજ કુસકાને બહેકાના શબ્દોનું શ્રવણ થયું નથી. વિવેકના સહારે અશુભ સંસ્કારને નાશ કરી અાપે શ્રવણશક્તિને મહામ સલ્ફગ કર્યો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004992
Book TitleJina darshan Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMitranandvijay
PublisherShantinagar Jain Aradhak Mandal Ahmedabad
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy