________________
૧૨૬
યુગ એટલે શું? મેળવવા તે તે વિજ્ઞાનવિદ્યાઓ જાણીશું; તે બધી જ છેવટે જોતાં તે ઇંદ્રિયોના અને મનના વ્યાપારથી જ જમે છે. અને આ વ્યાપાર તે આપણે ચાલે જ છે. એટલે એનાં નિરીક્ષણ અને પરીક્ષણ કરવા સતત જાગ્રત રહીશું. આ બધું કરવામાંથી એવી સમજ, શ્રદ્ધાબુદ્ધિ અને બળ મળે છે કે જેથી મન પર કાબૂ આવે છે.
આ શક્તિથી સિદ્ધિ મળી શકે, જેવી કે વિજ્ઞાનીઓ મેળવે છે. તે પૂરતી એકાગ્રતાથી જે સંતોષ માનીએ, તો અમુક તમુક વિષયવતી પ્રવૃત્તિના સિદ્ધ બની બેસીએ; પણ પૂર્ણયોગ ન સધાય, પરમશાંતિ ન મળે. છતાં ચાલુ વ્યવહાર અને વિષયવ્યાપારમાં પણ એકાગ્રતાનું જોર અર્પનારા અભ્યાસની ગુંજાશ રહેલી છે તેનો એ માટે ઉપયોગ કરી શકીએ છીએ – એ બતાવવા માટે આ સૂત્રો છે. આપણે આપણી જ પ્રવૃત્તિઓમાં જે વિજ્ઞાનીની અદાથી જોતા રહીએ, એટલે કે અંતર્મુખ બનીને આત્મનિરીક્ષણ કરતા રહીએ, તે તે એક યોગ છે, અને તેમાંથી પરમ ફળ મળી શકે છે, એવી ભારે આશ્વાસનરૂપ વાત આ સૂત્રમાંથી સમજાય છે. ૨૨-૩–૪૯
૨૯ વિચારમય જીવનનું યોગબળ ગયા પ્રકરણમાં આપણે, આપણી સામાન્ય વિષયવતી' – સંસારી કહેવાતી પ્રવૃત્તિ પણ કેવી રીતે યોગાભ્યાસમાં કામ દઈ શકે, તે જોયું. તે ઉપરાંત બીજા માર્ગોથી પણ કામ કરવું જોઈએ. એવા બહુવિધ અને બહુદિશ અભ્યાસ વડે ચિત્તના અંતરા દૂર કરી શકાય છે. અને જે અંતરાય તે પ્રમાણે અમુક ખાસ અભ્યાસ તેને માટે સૂચવાયો છે. જેમ કે પ્રાણાયામથી શરીર તથા ઇદ્રિયની જડતા, ભારેપણું કે પ્રમાદ દૂર કરી શકાય. તે અભ્યાસ આ મુખ્ય કામ કરે અને એ દ્વારા બીજી અનેક સહાય કરે. તેમ જ વિરતિ અંતરાય છે, તે સામે લડવા માટે હવે આગળ કહે છે –
વીતરાવાય વા જિત્ત 1 રૂ૭ ||
- રાગ ભણીનું આકર્ષણ જેને ન હોય એવા વીતરાગ પુરૂષને વિષે આદરભાવથી ઢળતું ચિત્ત મનની રિથરતા મેળવે છે. મન: સ્થિતિનવંધનમ્ એવું અધ્યાહાર સમજી લેવાનું. (સૂત્ર ૩પને અનુબંધ જુઓ.) કહેવાનો ભાવ એ છે કે, જીવનમાં ભેગ અને ઐશ્વર્ય નહીં, પણ વૈરાગ્યને વરેલા માણસનું ચિત્ત ધીમે ધીમે મન પર કાબૂ મેળવી. શકે છે. વૈરાગ્યનો અભ્યાસ કરવા માટેનો ઉપાય આ સૂત્રમાં કહે છે. જ્ઞાની કે વૈરાગ્ય-મૂતિ પુરુષ માટે:
૧૨૭
Jain Education International
For Private & Personale Only