SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલે શું? તે દશામાં દેશ, કાળ, ઘટના—વગેરેને ગોટાળા કે વિપર્યય થઈ જાય છે, કે જે નિદ્રામાં નથી થતો. સ્મૃતિને આ રીતે નિદ્રા દરમિયાન વિપર્યય સાથે સમાસ થઈ જવો, એ સ્વપ્નનું લક્ષણ લાગે છે. તે સ્મૃતિવૃત્તિનો એક પ્રકાર માની શકાય. અહીં આગળ ભેગાભેગી એ પણ જેતા જઈએ કે, પાંચે વૃત્તિઓનાં જુદાં જુદાં સંમિશ્રણે પણ (permutation-combination ) સંભવી શકે છે. સ્વપ્ન એક આવું સંમિશ્રણ છે. છેવટ મૂઢતા કે મૂછ અંગે એક વાત વધુ જોઈ લઈ એ. વાયુથી કે એવાં શારીરિક કારણથી તમ્મર આવી જાય એ જવા દઈ એ, પરંતુ માનસિક કારણે એ પણ મૂઢતા આવી જાય. અને એમ પણ માનવાનું નથી કે, સદાકાળ રહે તે જ મૂઢ ચિત્તભૂમિ છે. અવારનવાર એ આપણા ચિત્ત ઉપર ચડી વાગી શકે. આને અનુભવ પણ દરેકને હશે. એને જ એક દાખલે “જેકિલ અને હાઈડની પેલી પ્રખ્યાત અંગ્રેજી વાતમાં ચીતર્યો છે. આપણે પુરુષાર્થની દૃષ્ટિએ વૃત્તિવિચાર કરીએ છીએ. તેવાને માટે ગીતાકારે આ મૂછ કે મૂઢતા વિષે શાશ્વત સાવચેતી આપી રાખી ચિત્તની ભૂમિકાએ આપણે ઉપર જોયું એ જ માનસ-પ્રકરણ ગીતાના આ લેકમાં છેઃ કામક્રોધાદિના આવેગથી મૂઢતા આવે છે. મોટરનું ‘ગિયર’ ફરી જાય એમ તેના ચિત્તનું જાણે ‘ગિયર” જ ફરી જાય છે. પરિણામ એ આવે છે કે, તે ‘ગિયર” સ્મૃતિમાં કામ દેતું નથી; એ ‘ગિયર’માં કામ કરતા ચિત્તનું લક્ષણ એ છે કે, તે કાળે એ મૂઢ દશામાં ચાલ્યું જાય છે; એટલે સ્મૃતિમાં તે અનુભવ સંઘરાતો નથી. અને આપણે અગાઉ જોયું કે, સ્મૃતિવૃત્તિનું કાર્ય એ જ મનુષ્યને પશુ ઈથી અલગ પાડનાર ચીજ છે. બુદ્ધિનું કાર્ય સ્મૃતિ પર મુખ્યત્વે અવલંબે છે. એ ટળે બુદ્ધિને ભ્રશ થાય છે, ને એમ માણસ છેવટે પડે છે. એટલે પુરુષાથી મનુષ્ય પોતાના ચિત્તની ભૂમિકાઓ વિષે પ્રયત્નપૂર્વક જાગ્રત રહેવું જોઈએ. ક્ષિપ્ત કે મૂઢ તે ન હોય. વિક્ષિપ્ત, એટલે કે સાવ ચંચળ નહિ, પણ ગીતાકાર (જુઓ અ૦ ૨, ૪૧-૪) જેને અવ્યવસાયી બુદ્ધિ અહીંથી તહીં ભટક્યા કરનારું રાજસ ચિત્ત કહે છે તે–આવી ચિત્તભૂમિકા પણ સુધારવી જોઈએ. જ્યારે જે વિષયમાં જવાનું હોય તેમાં એકાગ્રતા થઈ શકવી જોઈએ. ક્ષિપ્તતા વિક્ષિપ્તતા. વિયુક્તતા, અયુક્તતા કે વ્યગ્રતા ન ચાલે. એકાગ્ર ચિત્ત જ કોઈ કાળે જઈને નિરુદ્ધ બની શકે. યુગનું અનુશાસન એ છે કે, આને માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. ૧૮-૧૦-૪૫ ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते । संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते ।। क्रोधात् भवति संमोहः संमोहात् स्मृतिविनमः । स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति ।। [ અ૦ ૨, ૬૨-૩ ? Fores. Per
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy