SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ વેગ એટલે શું? અસ્તેય, ને અપરિગ્રહ. નિયમ એટલે, પતંજલિની ગણન પ્રમાણે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આચાર્ય હેમચંદ્ર પિતાના ગ્રંથમાં પંચ મહાવ્રતને વેગન રત્નત્રયમાંના ચારિત્ર તરીકે બતાવે છે. અને નિયમમ તે ઉપરોક્ત પાંચતને પિતામાં ગૂંથી લેતો એવો જૈન આચારધર્મ વિસ્તારથી વર્ણવે છે. આ વાંચતાં વાચકને વલ્લભી તથા રામાનુજી વૈષ્ણવોની દિનચર્યા અને પ્રપત્તિ યાદ આવ્યા વગર નહિ રહે. હેમાચાયૅ જૈન સિદ્ધાંત અને તીર્થકર તથા સાધુઓ પ્રત્યે પ્રપત્તિ કેળવવાનો લાંબો કાર્યક્રમ યેજ આપ્યો છે. એકાગ્રતા અને અનન્યતા સાધવાના સહેલા અને સ્કૂલ માગ તરીકે એ કાર્યક્રમથી યોગશક્તિ જરૂર ખીલવી શકાય. પણ તેની સહેલાઈ અને સ્કૂલતા જ તેને vulgar – ગતાનુગતિક બનાવી મૂકે છે અને આજે જોવામાં આવતું તેનું હાસ્યચિત્ર કરી મૂકે છે. પણ એ અલગ વાત થઈ. તેને અહીં અસ્થાને ગણી છોડવી જોઈએ. ગનાં પુસ્તક વાંચતાં એક વસ્તુ બધે એક યા બીજે રૂપે જોવા મળે છે, તે આ ગ્રંથમાં પણ જોઈ ગૃહસ્થને યોગ માટે અધિકાર વર્ણવતાં આચાર્ય કહે છે, “જે પ્રચલિત દેશાચાર આચરતો હોય, બીજાની અને ખાસ કરીને રાજાની નિંદા ન કરતો હોય.” ગાંધીજીએ જે સ્વરાગ આજ આપણને બતાવ્યો છે તેમાં આ જ વસ્તુઓને સક્રિય વિરોધ કરવો એ એક મહત્ત્વની ક્રિયા છે. ઈશુ ખ્રિસ્તની “Render unto Caesar what સમાજને વ્યાપક યંગ ૨૦૫ is Caesar's...' એને મળતી જ આ જૂના યોગાચાર્યોની શીખ છે. યોગમાં એક પ્રકારનો વ્યક્તિવાદ ખૂબ જ છેઃ તેણે યમનિયમ યોજ્યા છે તેમાં સમાજને એક પ્રકારનું અભયદાન છે એ ખરું. પરંતુ એ માત્ર નાત્મક વૃત્તિ છે. સમાજનું સંગઠન અને તેના સમ્યવ્યાપાર માટે જરૂરી એવી ક્રિયાત્મક વૃત્તિ નથી. આ નિવૃત્તિપરાયણતા આજની આપણી સમાજદષ્ટિને બરોબર નથી લાગતી. તેમાંય, પ્રચલિત દેશાચાર જે સંડેલો હોય, રાજા જે કુરાજા હોય, તેપણુ ગૃહસ્થ સમાધાનપૂર્વક એની યે આવશ્યક ક્રિયાઓ જ કરતે રહે, એ માનવું તે બહુ વસમું લાગે છે. શું એ સડા સામે થવાની ક્રિયામાં યોગશક્તિ નથી? ગાંધીજીનું જીવન એવી જ ક્રિયાથી ઘડાયેલું આપણી સામે નથી પડ્યું? મને લાગે છે, આપણા શાસ્ત્રીઓએ ગની આ અણખેડાયેલી દિશા પણ જોઈ કાઢવા જેવી છે. “Ifમમતધ્યાના', તીવ્રસંઘેTTનામાનઃ ” ઇત્યાદિ યોગસૂત્રો આવી આવી અનેક ક્રિયાઓનાં જ વર્ણાયક છે. એ ક્રિયાઓ યુગે યુગે વિકસે, ખીલે, શોધાયને સંધાય એમ યોગશાસ્ત્રકારોને સંકલ્પ છે, એમ જરૂર માની શકાય. હેમાચાર્યનું આ યોગશાસ્ત્ર વાંચતાં બીજું એક જે લાગે છે તે એ કે, ગાધિકારી જેને બંધ કર્યો કરવો? જે ઝીણું ઝીણું હેયાયેયનું વર્ણન આચાર્યું કર્યું છે તેમાંથી સાર એ નીકળે છે કે, જૈન અમુક વેપારમાં જે પડી શકે. અને એ જ કાર્ય કરતા મોટા ભાગના જૈને આજ છે ૫૭. ખેતી તથા અનેકવિધ કારીગરીનો નિષેધ કરે Jain Education International For Private & Personal Lite Only www. library.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy