________________
૧૮૬
ચેગ એટલે શું?
વખત અમુક ખરું લાગે; પછી વળી કાંઈક સાંભળીએ તે તે પરથી તર્ક કરીને પાછા નવે! ખ્યાલ જાય છે; તે પણુ વળી ફર્યા વગર નથી રહેતા. એમ આપણે વસ્તુઓનું સત્ય જાણવા મથ્યા જ કરીએ છીએ. આ પ્રક્રિયા સૌના દિલમાં ચાલ્યા જ કરે છે. કેટલાક ખરેખર તેની પાછળ શ્રમ ખેડીને પડે છે. કેટલાક અમુક વસ્તુ અંગે મથે છે, કેટલાક અમુક ખીજીને અંગે મથે છે. એમ જગતમાં બધા માણસા, અંતે જઈને જો તપાસીએ તેા, વસ્તુએનું સત્ય પામી તે મુજબ વર્તવા જ મથતા હૈાય છે. એમ કરતાં જેને જે ખબતનું સત્ય ખાતરીથી જણાયું, તે માણસ તે પછી તે ખાખત વિષે સાયવાળા રહેતા નથી. પૂર્વ એ વિષે તેને જે જાતના ખ્યાલે કે સંસ્કારા આવ્યા હાય, તે બધા ઝાકળની પેઠે ઊડી જાય છે. એ બધા પૂર્વના ભલતા સંસ્કાર આપે।આપ દસાઈ જાય છે; પેલા સત્યસ’સ્કાર તેમના પ્રતિ ધ કરી દે છે. ૫૦મા સૂત્રમાં જે વાત કહી છે તે આ પ્રક્રિયા વિષે જ કહી છે. માત્ર તેમાં વિશેષ એ છે કે, આ પ્રકારની ખેાજમાં જે માણસ આત્યંતિક રૂપે પડે, તે ધીમે ધીમે આગળ વધતાં વધતાં આ જગતમાં ચરાચરમાત્રને ભેદ પામવા જાય છે ને તે માટે મથે છે.તેને છેવટે તેની ઋતંભરા પ્રજ્ઞામાંથી જે એક સંસ્કાર જાગે છે, તેની વાત ત્યાં કહી છે. ૪૫ મા સૂત્રમાં અગાઉ આપણે જોઈ આવ્યા કે, સ્થૂલથી માંડીને ‘અલિ'ગ' સુધીની સૂક્ષ્મતમ ચીજો સુધીને આખા વિસ્તાર ડહેાળીને તેની પ્રજ્ઞા કામ કરે છે. એટલે કે, આપણી સામે આ આખું દૃશ્ય જગત છે, તે બધાને વિષે
Jain Education International
ઋતંભરા પ્રજ્ઞા-૩
૧૮૭
જે અનુભવ્યું કે સાંભળ્યું, તે ખધાને તે રાગદ્વેષથી ન ચળે એવી સ્થિત કે શ્રૃત ભરા પ્રજ્ઞાથી તપાસે છે. તેમ કરતાં જે સંસ્કાર જન્મે—જે ખ્યાલ મંધાય
તે ખ્યાલ, તે પૂર્વે એ બધા વિષે જે અન્ય ખ્યાલે કર્યાં હાય કે આવ્યા હાય, તે બધાને દાખી દે છે. આ પ્રક્રિયા સામાન્ય છે. એમાં કાંઈ ગૂઢ વિલક્ષણતા નથી. ખરું સમજાય તેની સાથે પૂર્વે ખરું ખાટું જે કાંઈ મનમાં થયા કર્યુ. હોય તે આપે!આપ શમી જ જાય અને બુદ્ધિ તે ખરા વિષે સાફ અને અડગ અને, એ ઉઘાડું છે. એક વાર સાચી વાત જાણ્યા પછી ચિત્તની મથામણ એની મેળે શમી જ જાય છે. અને પછી તે પૂરતી ચિત્તમાં અમુક શાંતિ કે સ્થિરતા રહે છે અને તેમાંથી પછી નવા નવા તુક્કા ફૂટી શકતા નથી. ચિત્તનું આ લક્ષણ છે. આને જ અનુલક્ષીને ગીતાકારે પેલું સૂત્ર કહ્યું છે કે,
सर्व कर्माखिलं पार्थ, ज्ञाने परिसमाप्यते । ४-३३ ।
(હે પાર્થ, કમ માત્રની બધી પંચાત છેવટે, તે વિષે કે તે અધાને પરિણામે જે સમજ ચિત્તમાં જન્મવી કે જાગવી જોઈએ તે જાગે, તેની સાથે પૂરી થાય છે. તે કર્માની સતામણી પછી પૂરી થાય છે, કર્માના ક્લેશ મટી જાય છે.)
આ જ વસ્તુને ગીતાકારે કમેર્યાં ભસ્મસાત્ થાય છે, એ ભાષામાં પણ કહી છે. જુએ નીચેના શ્લેાકેા — यथैधांसि समिद्धोऽग्निः
भस्मसात् कुरुतेऽर्जुन ।
For Private & Personal Use Only
www.jainelibrary.org