SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલે શુ? ૧૬૬ એટલે ચિત્તને કેઈ પણ દૃશ્ય કે ખાખત આવી મળવી તે. ટૂંકમાં કહીએ તે, કઈ પણ વાત, વસ્તુ, વિચાર કે ખાબતને વિષય ચિત્ત પર પહેાંચવેા તે. આમ થાય ત્યારે ચિત્ત તે વિષયરૂપ બની જાય છે. આમ થવુ' તે સમાપત્તિ છે, એ આગળ જોઈ ગયા. / આ દશા એક પ્રકારની સમાધિ જ છે એમ કહેા, કેમ કે તે વખતે ચિત્ત એકાકાર હાય છે. આથી જ કરીને ચિત્તમાં ભાન કે સંપ્રજ્ઞાન સભવે છે. મન સહિત અધી ઇંદ્રિયા વાટે ગ્રહણુ થતું જ્ઞાન ચિત્ત ઉપર ‘સમાપત્તિ’ રૂપે જાય છે. અને તેમાંથી તે તે વિષયનું સ'પ્રજ્ઞાન કે ભાન આપણને થઈ શકે છે અને મળી પણ શકે છે. એ ભાન કે સ’પ્રજ્ઞાન જેવું થાય તેવી વૃત્તિ ચિત્તમાં ઊઠે છે. અને જેવી વૃત્તિ તેવા સંસ્કાર ચિત્તમાં ચાટે છે, અને તે ત્યાં ચિત્તના ભાગ તરીકે—કહા કે તેના દેહ રૂપે બનીને—રહે છે. આ પ્રકારે સંસ્કારરૂપે સંપ્રજ્ઞાને કે વૃત્તિએ ચિત્તમાં રહેવું, એ પેાતે પણ એક વૃત્તિ રૂપે પાછું કામ કરે છે; એ વૃત્તિ-પ્રકારને સ્મૃતિ કહ્યો છે, એ અહી' યાદ કરાવવાની જરૂર છે. અનેક સમાપત્તિઓને પરિણામે ચિત્તમાં પડેલાં સ’પ્રજ્ઞાને સંસ્કારરૂપે – તેની સ્મૃતિ તરીકે – રહે છે; અને જ્યારે પણ ચિત્ત નવી વૃત્તિ ઊઠતી વખતે કામ કરે છે, ત્યારે એ બધા સ્મૃતિ-ભંડાર અથવા અનુભવરાશિ નવી મનતી વૃત્તિને બનાવવામાં ભાગ લે છે. સાદી ભાષામાં કહીએ તેા, નવે। અનુભવ પૂના અનુભવને આધારે અને એ અનુભવા જેવા હોય તેવા — તેને ધેારણે થાય છે. એમ થતા નવા Jain Education International સમાપત્તિના પ્રકાર ૧૬૭ અનુભવ ગ્રહણ કરતી વખતે આપણે તેનું ખરું રૂપ કે તથ્ય સમજવા સારુ, ચિત્તની વિતક અને વિચાર શક્તિએ વાપરીએ છીએ. એને પરિણામે જૂના અનુભવેામાં સુધારા વધારા કે ધરમૂળથી પલટા પણ થાય, એમ અને છે. સમાપત્તિના પ્રકારનું નિદાન આ પ્રક્રિયાને લક્ષમાં લઈને કરવામાં આવ્યું છે. કોઈ પણ સમાત્ત થાય તે વખતે તે વિતમાંથી ખૂબ મિશ્રિત હોય છે. આ વિતર્કો કાંથી થાય છે? યોગસૂત્ર કહે છે— ચન્દ્ર-અર્થ-જ્ઞાન-વિ વં:' (૪૨) (શબ્દ, અર્થ, અને જ્ઞાન એ ત્રણ બાબતે માં વિકલ્પે સભવી શકે છે; તેથી કરીને મનમાં તર્કવિતર્ક થયા કરે છે; આવી દશાની સમાપત્તિ ‘સવિતર્કા' છે.) યાગસૂત્રકાર એમ કહે છે કે, આ વિકલ્પા ત્રણ વસ્તુને લઈને સંભવે છે. માનચિત્તની સ્થિતિ કુદરતે જેવી ઘડી છે, તેમાંથી જ તે છે. ભાષ્યકારે આપેલે દાખલા લઈ એ — ‘ગાય’ એક શબ્દ છે, એક પદ છે. તે ઉપરાંત તે એક વસ્તુ કે પદા પણ છે. અને તે ઉપરાંત અમુક જ્ઞાન કે ભાન રૂપે તે આપણા ચિત્તમાં છે. આમ હરકેાઈ સમાપત્તિમાં આ ત્રણ જુદાં જુદાં અંગ રહેલાં છે. ખરું જોતાં એ ત્રણે મળીને યથાતથ કે સાચું સ’પ્રજ્ઞાન ‘ગાય' એવું થાય છે. પરંતુ તેમાં ઉપરના ત્રણ અંશેા રહેલા હાઈને, સ’પ્રજ્ઞાન કે વસ્તુની સમાપત્તિ ચિત્રવિચિત્ર અની શકે છે. શબ્દ આપણને ભાષાસિષ્ટના સવાલામાં ખેંચી જાય. અથ આપણને પ્રત્યક્ષ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy