SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આબાદ હિંદુસ્તાન! આ તપાસથી એ વાત સિદ્ધ થાય છે કે, સામાન્ય રીતે બધા માને છે તેમ લોકો લગ્ન વગેરે પ્રસંગોએ ઉડાઉ ખર્ચ કરે છે, તે વસ્તુને પ્રત્યક્ષ પુરાવાનો કે નથી. . . . ઉપરાંત જે કાંઈ થોડું ખર્ચ કેઈ કાઈ કરે છે, તે પણ દર વર્ષે ઘટતું જ જાય છે; કારણ કે તેમની પાસે ' ખર્ચવાને પૈસા જ નથી.” પોતાના કથનના પુરાવામાં તે નીચેના આંકડા ટાંકે છે : કુલ દેવું લગ્નમાં કરેલું ખર્ચ પ્રથમ વિભાગમાં ૧૪૨,૭૭૭ ૯,૪૯૧ બીજા વિભાગમાં ૧૭૯,૮૫૩ ૧૨,૪૧૮ ત્રીજા વિભાગમાં ૮૮,૨૩૪ ૯૬૮૭ ૧૧ ચોથા વિભાગમાં ૧૮૮,૧૪૫ ૧૫,૧૬૧ સરેરાશ ૮ ટકાથી પણ ઓછું. મિ. થર્બન ખેડૂતોના દેવાનું જુદું જ કારણ આ પ્રમાણે આપે છે: “ખેડૂતની તમામ કમાણુ શાહુકારના હાથમાં જ ચાલી જાય એવી દુ:ખભરી સ્થિતિ નવી ઊભી થઈ છે. પહેલાં તેવી સ્થિતિ કદી હિંદુસ્તાનમાં હતી નહિ. અને આ રિપોર્ટ સાબિત કરે છે તે પ્રમાણે, તે સ્થિતિ આપણું જુલમગાર મહેસૂલપદ્ધતિએ અસ્તિત્વમાં આણી છે. જેમની તપાસ કરવામાં આવી હતી તેવા ૭૪ર ખેડૂતેમાંથી માત્ર ૧૩ દાખલાઓમાં જ, દેવામાં એક વારે સપડાયેલો ખેડૂત ફરી છૂટી શક્યો હતો. હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૫૧ ખેડૂતની દેવાદાર સ્થિતિનાં સિદ્ધ થયેલાં કારણોમાંથી સૌથી મોટું – તેમજ તેમાંથી કદી છૂટી શકાય તેવું ન હોવાથી સૌથી ગંભીર કારણ સરકારની મહેસૂલ છે.” દક્ષિણનાં હુલ્લડોની તપાસ કરવા નીમેલા કમિશને પણ જણાવ્યું છે: “કમિશને કરેલી તપાસનું પરિણામ બતાવી આપે છે કે, ખેડૂતની દેવાદાર સ્થિતિના કારણ તરીકે, લગ્ન કે તેવા વરાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને વધારે પડતું પ્રાધાન્ય આપવામાં આવે છે. . . . તેવા પ્રસંગે ઘણુ જૂજ હોય છે, અને તેય કેટલાંય વર્ષોના ગાળા પછી કઈ વાર આવે છે. તેમજ તે પ્રસંગે જે રકમ ખર્ચવામાં આવે છે, તે રકમ પણ ખેડૂતની સ્થિતિને કાઈ પણ માણસ, સામાજિક કે કૌટુંબિક આનંદ કે પ્રસંગે માટે યોગ્ય રીતે ખરચી શકે તેના કરતાં જરાય વધારે નથી હોતી.” મુંબઈ ઇલાકો હવે આપણે, પરદેશી મુસાફરને સૌથી પ્રથમ આવકાર આપતું મુંબઈ શહેર જે ઇલાકામાં આવ્યું છે, તે ઇલાકા તરફ આવીએ. જે શહેરની જાહોજલાલી, સંપત્તિ, ઉદ્યોગ અને વેપારથી ચકિત થઈને મુસાફર આગળ ચાલ્યા જાય છે, તે શહેર બાદ કરતાં બાકીના ભાગની શી સ્થિતિ છે? , ૧. ગૂજરાત વિદ્યાપીઠે કરેલી માતર તાલુકાની આર્થિક તપાસમાં જણાવ્યું છે કે : સામાજિક પ્રસંગ માટે દેવું કરનાર કુટુંબની સંખ્યા ૪૧૪ છે. જ્યારે, જમીન મહેસૂલ ભરવા દેવું કરનાર કુટુંબની સંખ્યા ૫૭૦ છે. Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy