SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આબાદ હિંદુસ્તાન! - “ મિન કમિશને હિંદી સરકાર આગળ રજૂ કરેલી સૂચનાઓમાં આમાંની કેટલીક મુશ્કેલીઓને ઇલાજ જરૂર મળી આવશે, એમ હું માનું છું.” હવે, ગવર્નર સાહેબે, ખેડૂતની કડી સ્થિતિનાં જે ચાર “ખરાં ” કારણે બતાવ્યાં છે, તે હું એક પછી એક તપાસવા માગું છું. તેઓ સાહેબે જણાવેલા પ્રથમ કારણ વિષે એટલું જ કહેવાનું કે, હિંદુસ્તાનમાં વરસાદ નિયત ઋતુઓ પડે છે. એટલે, દુનિયાના બીજા કોઈ દેશ કરતાં હિંદુસ્તાનની કુદરતી સ્થિતિ વધુ ખરાબ નથી, પણ ખેતીને માટે ઊલટી વધુ સારી છે. તે પછી, તે કારણે દુનિયાના બીજા દેશો કરતાં હિંદુસ્તાનમાં ખાસ મુશ્કેલી ઉભી થતી ન જ હોવી જોઈએ. વળી પહેલાં કરતાં અત્યારે વરસાદ ઓછો પડે છે, એમ કાઈ જ કહી શકે તેમ નથી. છતાં, અત્યારના જેવી ગરીબાઈ અને તંગી લોકેએ પહેલાં કદી ભોગવી હોય એમ સાબિત કરનાર એક પણ પુરા નથી. તેથી ઉલટી પુરાવા તે ચેકબંધ છે. - હવે ચેથા કારણુમાં ગવર્નર પહેલાને ઉપાય બતાવે છે. જે એ વાત ખરી જ હોય, તે ભયંકરમાં ભયંકર દુકાળ વડે પ્રજાના અસંખ્ય લાકે, કલ્પી ન શકાય તેવાં ભૂખમરા અને તંગીમાં સપડાઈ સપડાઈને ભાખેની પેઠે ટપટપ મરવા માંડે, ત્યાં સુધી સરકારની ઊંધ જ ઊડતી નથી તે કારણે તેને ગુનેગાર જ ગણવી જોઈએ. વળી એ દલીલ પણ કરી શકાય તેમ નથી કે, સરકારને અત્યાર સુધી આ વસ્તુની ખબર ન હતી. કારણ કે આની પહેલાં કેટલાંય જુદાં જુદાં કમિશનએ તેમજ જુદા જુદા વિભાગના “હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૪૯ અંગ્રેજ અમલદારોએ કેટલીય વાર એ વસ્તુ સરકારની આંખ આગળ આણ્યા કરી છે; છતાં સરકારે તેને કદી ધ્યાન ઉપર જ લીધી નથી. અને આ વખતે પણ સરકાર તેમ નથી જ કરવાની એની સેએ સે ટકા ખાતરી બધાએ રાખવાની છે એ વાત કદાચ સૌ કરતાં ગવર્નર સાહેબ પોતે જ પિતાના મનમાં વધારે જાણતા હશે. અત્યારે ખાસ તે ગવર્નરે જણાવેલા બીજા કારણ વિષે મારે કહેવું છે. સામાન્ય રીતે દરેક અંગ્રેજ અમલદારને ખેડૂતના દેવાની વાત નીકળતાં જ એમ બેલી નાખવાની ટેવ પડી છે કે, તે લોકે લમ અને મરણ પ્રસંગે હદ ઉપરાંત ખર્ચ કરે છે તેથી જ તેઓ દેવામાં સપડાય છે. પરંતુ આને જવાબ હું સરકારે જ ભેગી કરેલી વિગતોથી આપવા માગું છું. જે રિપોર્ટમાંથી હું આ બધા ઉતારાઓ આપી રહ્યો છું, તે રિપોર્ટમાં આપેલા ખેડૂતના દાખલાઓમાંથી હું ક્રમવાર પહેલા ૨૦ લઉં છું. એ ૨૦ માંથી માત્ર બે દાખલામાં જ લગ્ન અને તેવાં બીજાં કૌટુંબિક ખર્ચીને કારણે દેવું કરવું પડયું છે, એમ જણાવવામાં આવ્યું છે. અને તે બેમાંથી પણ એક દાખલામાં તે તે રકમ ૧૦ રૂપિયા જેટલી નજીવી જ છે, અને તેમાંથી અધ તે માને મહિને એક એક રૂપિયાને હપ્ત કરીને ચૂકવી દેવામાં આવેલી છે. પરંતુ આપણે આખા પંજાબ વિષે મિ, થેબને જે શબ્દો ઉચ્ચાર્યા છે, તે જ ધ્યાનમાં લઈ એ : મેં તપાસેલાં ૭૪૨ કુટુંબેમાંથી માત્ર ત્રણ દાખલાઓમાં જ લગ્નના ખર્ચને કારણે દેવું કરવું પડયું હતું. For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy