SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! ૧૨૪ ઉપર જણાવીશ, અત્યારે તે આપણે પ્રસ્તુત વાત ઉપર જ ધ્યાન આપીએ. તે પછી સરકારે ઊભા કરેલા એ પડદા પાછળ શું છે? એ હતભાગ્ય હિંદુસ્તાનમાં ખરી રીતે શું ચાલી રહ્યું છે? તેની ખરી સ્થિતિ શું છે? આપણે તેને થોડે ઘણે ખ્યાલ પણ મેળવી શકીએ તેમ છીએ કે નહિ? રશિયાને ઝાર જ્યારે યુવરાજ હતો, ત્યારે હિંદુસ્તાનમાં આવ્યો હતો. તેણે કહ્યું કે : “હિંદુસ્તાન હતભાગ્ય દેશ છે.” સર મેકેન્ઝી વૅલેસે કહ્યું હતું કે, “હિંદુસ્તાન ગરીબ દેશ છે.” આપણે બધા કહીએ છીએ કે, “હિંદુસ્તાન કંગાળ દેશ છે.” પણ તે કેટલે, કે ગરીબ છે? તેને કંઈક આછો ખ્યાલ પણ આપણને મળી શકશે કે નહિ ? જરૂર મળી શકે તેમ છે. સરકારે હિંદુસ્તાનની આડે ઊભે કરેલ બનાવટી પડદે કઈ કોઈ વાર ખસી જાય છે, ત્યારે એક ક્ષણપૂરતું આખું હિંદુસ્તાન આપણી નજરે પડી જાય છે. અત્યાર સુધીમાં આવું નીચેને પ્રસંગે બનેલું છે ? ૧. એરસા દુકાળકમિશન–૧૮૬૭. ૨. દક્ષિણનાં હુલ્લડ માટેનું કમિશન–૧૮૭૭. ૩. દુકાળકમિશન–૧૮૭૯-૮૦. ૪. ખેડૂતે અને મજૂરની આર્થિક તપાસ–૧૮૮૮. ૫. પંજાબ-રાવલપિંડી વિભાગના ખેડૂતોની દેવાદાર સ્થિતિની અને જમીનની માલિકી હકની ફેરફારીની તપાસ૧૮૯૫-૬. ૬. દુકાળકમિશન–૧૮૯૭–૯૮. ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૨૫ ઉપર જણાવ્યા જેવા કેટલાક વિકટ પ્રસંગોએ સરકારને પડદા પાછળ જરા નજર કરવાની ફરજ પડે છે. પડદા પાછળથી આવતા લાખ માણસેના કોલાહલને કારણે સરકારને પિતાના નાચતમાસા થોડી વાર બંધ કરી, તે હરામખોર લોકોને શાંત કરવા જરા તસ્દી લેવી પડે છે. પણ તે બદમાસને જરા પટાવી બનાવીને કે છેતરી ઠગીને શાંત કર્યા બાદ, ફરી પડદો તેની જગાએ આવી જાય છે, અને બંધ રહેલું નૃત્ય શરૂ થાય છે. પરંતુ ખબરદાર ! તે બધામાંનું કશું રંગભૂમિના પ્રેક્ષકોને જાણવા દેવામાં આવતું નથી. તેમને તે માત્ર એટલું જ કહેવામાં આવે છે કે, જરા છમકલું થયું હતું, કાંઈ અગત્યની વાત ન હતી. પણ હવે બધું જ બરાબર છે; તમારે લોકોને સહેજ પણ ઉચાટ કરવાની જરૂર નથી. ચાલવા દે, ફરી નૃત્ય શરૂ થવા દે, કાંઈ જ બન્યું ન હતું, બધું જ બરાબર છે, કશું જ બગડે તેમ નથી. એટલે તે બધી તપાસની વિગતોના રિપેર્ટી કદી બહાર પાડવામાં નથી આવતા. તેમને તરત જ “ખાનગી” તરીકે નોંધીને કબાટમાં બંધ કરી દેવામાં આવે છે. પ્રજાને તે માત્ર તે રિપોર્ટો ઉપરથી સરકારે બહાર કાઢેલી “ તારવણીઓ થી જ સંતોષ માનવાને હોય છે. અને તેમાં ઉપરની ઉપમામાં જણાવ્યું છે તેમ, એક જ વાત હોય છે : “બધું જ બરાબર છે, કાંઈ જ બન્યું ન હતું, કશું જ બગડે તેમ નથી.” Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy