SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ આબાદ હિંદુસ્તાન ! જેમ કઈ માટે ધોધ એથી પડતું હોય તે તેની આજુબાજુની જમીન પણ તેના છાંટા અને ફરફરથી ભીની થઈ જાય છે. તેમ એ શહેર દેશમાંથી તણાતી મોટી સંપત્તિના ધંધનાં મુખ્ય મથકે માત્ર હાઈ તેમાં દેખાતી દેશીઓની સંપત્તિ પણ એ ધોધની ફરફરરૂપ હોય છે. તે ભાગ હિંદુસ્તાન નથી : તેનું નામ દગ્લિસ્તાન છે. ઇગ્લિસ્તાનમાં ગગનચુંબી મહે છે, વીજળીની બત્તાએ અને ટ્રામે છે, ત્યાંનાં મેટાંમોટાં બજારોમાં રાતદિવસ ધમાલ અને ગીરદી રહે છે, ત્યાં શ્રીમંત કુટુંબ અને મોટા મેટા અમલદારને આનંદ માટે સુંદરમાં સુંદર તથા છેક છેવટની સુધરેલી ઢબનાં આનંદ, મેજ અને વિશ્રાંતિને સ્થાને હોય છે. ત્યાંના લોકોને પોશાક પણ સુધરેલી ઢબને તથા ભપકાબંધ હોય છે. . . . બધું જ છે. પણ તેથી શું થઈ ગયું ? ઇગ્લિસ્તાનમાં દેશની કુલ વસ્તીને પંદર ટકા જેટલો ભોગ પણ નથી. પરદેશી મુસાફરે, વાઈસરોય સાહેબ કે હિંદી વજીર જ્યારે હિંદુસ્તાનનાં સુખ, સમૃદ્ધિ અને સુધારાનાં તતૂડાં કૂકતા હોય છે, ત્યારે તે ખરી રીતે ગ્લિસ્તાનની વાત અને વિગતો જ આપતા હોય છે. હિંદુસ્તાનની વાત કદી તેમાં હોતી નથી. તેમને પિતાને જ હિંદુસ્તાનની વાત અને વિગતેની ખબર હોતી નથી. સરકારી રિપેર્ટીમાં જે નૈતિક અને ભૌતિક પ્રગતિની વાત કરી હોય છે, તે બધી ઇગ્લિસ્તાનને જ લાગુ પડે છે. તેમાં દેશની માહિતીના જે ચેકસ આંકડાઓ હોય છે, તે બધા પણ ઈગ્લિસ્તાનને લગતા જ કે ઈંગ્લિસ્તાનને જરૂરી એવા જ હોય છે. ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૨૩ હિંદુસ્તાનની સ્થિતિ વિષેના આંકડા તેમાં હોતા જ નથી. કારણ કે, તે જાણી જોઈને તૈયાર કરવામાં આવતા નથી. તે જાણવાથી ઈગ્લિસ્તાનને લાભ નથી એટલું જ નહિ પણ કદાચ તે જાણવામાં આવે તે ઈગ્લિસ્તાનમાં ચાલી રહેલું મનહર સ્વમ તૂટી જાય ! તેથી કરીને જ્યારે હિંદુસ્તાનને વિષે કાંઈ પણ નિવેદન કરવાનું હોય છે, ત્યારે સરકારી રિપેર્ટે “ધારણાઓ” “અંદાજેઅને “માન્યતાઓ ” રજૂ કરવા બેસી જાય છે. લોર્ડ કર્ઝન ઉપર જ્યારે આક્ષેપ કરવામાં આવ્યો કે, તેમના અમલ દરમ્યાન હિંદુસ્તાન દશકા પહેલાં હતું તેથી પણ વધુ ગરીબ બન્યું છે, ત્યારે તેઓ સાહેબને પણ તે વાતને જવાબ આપવા માટે ચોક્કસ આંકડા નહિ પણ કલ્પનાઓને જ આધાર લેવો પડ્યો. તેઓ સાહેબ બોલ્યા કેઃ “હિંદુસ્તાનની માથા દીઠ વાર્ષિક આવક ૧૮૮૦ માં ૨૭ રૂપિયા હતી. જ્યારે હાલમાં (૧૮૯૯–૧૯૦૦ ) તે વધીને ૩૦ રૂપિયા થઈ છે. હું એમ નથી કહેવા માગતું કે, મેં રજૂ કરેલા આંકડા ચોક્કસ છે. તે આંકડાઓ તૈયાર કરવામાં અંદાજ અને કલ્પનાઓને ડેઘણો આધાર લેવો જ પડો છે. . . . .” શા માટે ? દેશના ૮૫ ટકાની વસ્તી વિષે જ્યારે કંઈ નિર્ણય કરવાને આવે, ત્યારે કલ્પનાઓ અને અંદાજેથી જ શા માટે ચલાવવું જોઈએ, તે સમજી શકાતું જ નથી. તેમાં ખાસ કરીને ખેડૂતેની ભયંકર દુર્દશા વિષે તે વર્ષો થયાં સરકારી કે બિનસરકારી લેખકોએ બૂમ ઉઠાવેલી છે, છતાં સરકાર તે વિષેના આંકડા શા માટે તૈયાર કરાવતી નથી ? સરકારની આ બેદરકારીનું ખરું કારણ હું આગળ For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy