SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આબાદ હિંદુસ્તાન! બાદ કરીએ, તે ૩૪૨ કરોડની પેદાશ લોકોના વપરાશમાં ગઈ એમ કહી શકાય. હવે હિંદુસ્તાનની વસ્તીને ૯૦ ટકા ભાગ ખેત છે. એટલે ૩૦૮ કરોડ રૂપિયાની કિંમત જેટલો ભાગ તેમણે વાપર્યો એમ કહી શકાય. અને બાકીના ૧૦ ટકા ભાગે ૩૪ કરેડની પેદાશ વાપરી એમ કર્યું. પરંતુ જોર્ડ કર્ઝનના જ આંકડા પ્રમાણે ખેડૂતોની વાર્ષિક આવક માથા દીઠ ૨૦ રૂપિયા છે અને ખેડૂત સિવાયના લોકોની ૩૦ રૂપિયા છે. એટલે કે, ખેડૂત સિવાયને ૧૦ ટકા લોકે ખરી રીતે ૩૪ કરોડની પેદાશ વાપરવાને બદલે ૫૧ કરોડની વાપરે છે, એમ કહ્યું. હવે તે ૫૧ કરેડને મોલ ખેડૂતોએ જે ૧૬ પેન્સને બદલે ૧૧ પિન્સને દરે વેચ્યું હોત, તે તેમને ૧૪ કરોડ રૂપિયા વધારે ઊપજ્યા હોત. એટલે, ખરી રીતે ખેડૂતને ૪ર કરોડનું નુકસાન નથી ગયું, પણ ૫૬ કરોડ રૂપિયાનું ગયું છે.” એટલે કે, સરકારે પિતાને ઇગ્લેંડ ભરવાની રકમમાં ૧૦ કરોડ રૂપિયા બચાવવા જઈને, એક બાજુ ગરીબ ખેડૂતોને કાચો માલ ૫૬ કરોડ રૂપિયાની ખેાટે ઇંગ્લંડના કોને સસ્તા વેચાવ્ય; તથા બીજી બાજુ હિંદુસ્તાનના લોકોને વેચેલા ભાલના ઇંગ્લંડના કાને ૨૭ કરોડ રૂપિયા વધારે અપાવ્યા. એટલે કે, ઇંગ્લંડના લોકોને કાચા માલ ખેડૂતોને લૂંટીને સસ્તા અપાવ્ય; અને ઇગ્લેંડને પાકે ભાલ દેશના પિસાદાર લોકોને લૂંટીને ઘી કિંમતે વેચી આપ્યો. આ તો ખેડૂતોને જ દાખલો થશે. પરંતુ કંશાળ, બંધ કરીને નાણાંની જાણી જોઈને અછત ઊભી કરી, રૂપિયા ભાવ વધારવા જતાં સરકારે ચાંદી સંધરનારાઓને હિંદુસ્તાનની લૂંટ ૧૧૭ કેટલું નુકસાન કર્યું છે, તથા બજારમાં ચલણી નાણું ઓછું થવાથી વેપાર રોજગારમાં પૂરતી થાપણ ન મળવાને કારણે વેપારીઓને કેટલું મોટું નુકસાન થયું છે, તેની તે કલ્પના જ કરી લેવી જોઈએ. અંદાજથી આપણે તે ખેટના ૩૦ કરોડ મૂકીએ, તે ખેડૂતની ખોટ સાથે તે ઉમેરતાં કુલ રકમ ૮૦ કરોડની થાય. * એટલે કે પરદેશનું જ હિત હંમેશાં ઇચ્છનારી પરદેશી સરકારે હિંદુસ્તાનના લોકોને જાણીજોઈને દર વર્ષે ૮૦ કરોડની ખટમાં ઉતાર્યા છે. દર વર્ષે તેટલી ખાટ વ્યાજ સુધ્ધાં ગણીએ અને તેને ૯૧ અબજની રકમમાં ઉમેરીએ, તે અંગ્રેજ સરકારે દેશમાંથી કરેલી લૂંટને કંઈક ખ્યાલ વાચકને આવશે.. ઈ. સ. ૧૯૨૭માં સરકારે હડિયામણને ભાવ ૧૬ પેન્સને બદલે ૧૮ પેન્સ ઠરાવ્યું ત્યારે ઉપરની ગણતરીએ દેશને કેટલું નુકસાન ગયું તેને અંદાજ નીચે મુજબ છે: સરકારને ઇંગ્લેંડ ભરવાની રકમમાં ફાયદો ૫ કરોડ રૂપિયા. પરદેશી માલની આયાતમાં લાભ દેશી માલની નિકાસમાં નુકસાન ખેડૂતોને નિકાસ થતા માલ સિવાયના માલના વેચાણમાં નુકસાન વેપારીઓને નુકસાન ૭૦ , , Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy