SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન ! દાવેલા હોત, તે આ દુકાળ કદી ન પડત. ઈશ્વરે તે પૂરતે વરસાદ આપ્યા હતા, પરંતુ તેને યોગ્ય સંઘ ન કરી; તેને પ્રજાના કામમાં ન આણનાર સરકારને જ દોષ હતો. મારી પાસે જિલ્લાવાર આખાં પ્રાંતના નકશા તૈયાર છે; અને તેના વડે હું સાબિત કરી શકું તેમ છું કે, આપણે જેટલી રકમ રેલવે પાછળ અને નકામાં તથા વધારે પડતા લશ્કર પાછળ ખરચી છે, તે જ રકમમાંથી એવી રીતનાં સરોવર અને કાંસ બનાવી શકાયા હોત, કે આ પ્રાંતને હંમેશને માટે દુકાળ અને તંગીથી મુક્ત કરી શકાયો હોત. “ વળી બીજી વાત, ૧૩૦ વર્ષથી માંડીને હિંદુસ્તાનમાંથી જે ભયંકર ઝડપે આપણે ધનસંપત્તિ ઘસડી જવા માંડી છે, તેને પરિણામે દેશમાં ધનસંપત્તિનો કે મૂડીને એટલો બધે અભાવ થઈ ગયું છે કે, તથા લોકે એટલી હદ સુધીની ગરીબાઈમાં સપડાઈ ગયા છે કે, ખેતીમાં સુધારા કરવાની વાત તે દૂર રહી, પણ કુદરતી નિયમ પ્રમાણે દર વર્ષે ખેતરમાં જે ખાતર નાખવું જોઈએ, તથા વચ્ચે વચ્ચે અમુક વર્ષે વારાફરતી ખેતર પડતર રહેવા દેવા જોઈએ તેમાંનું કશું જ તેઓ કરી શકતા નથી; અને બજારમાં જે પાકનો ભાવ સારો ઊપજતે હોય, તે એકને એક પાક દર વર્ષ, ખેતરને નુકસાન થતું હોવા છતાં, લીધા કરે છે. આને કારણે જમીનને કસ ૩૦ ટકા જેટલું ઘટી ગયો છે. તેનું એક પ્રમાણ નીચે આપું છું. “ઈ. સ. ૧૮૮રથી માંડીને અત્યાર સુધીમાં ૧૬,૦૦૦,૦૦૦ એકર નવી જમીનને, ખેડાણ-જમીનમાં વધારો થયે છે; ૧૪,૫૦,૦૦,૦૦૦ રૂપિયા નહેરો બાંધવા પાછળ ખરચાયા દુકાળે તેમની વધતી જતી સંખ્યા ૯૧ હતા (નહેરોવાળી જમીન પહેલાં કરતાં છ ગણું વધારે પકવી શકે છે;) તથા ૬૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા રેલવેના વધારા પાછળ ખરચાયા હતા છતાં : ઈ. સ. ૧૮૮૨માં ખેતીની આવક ૩૫૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા હતી. જ્યારે ઈ. સ. ૧૮૯૮-૯૯માં તે આવક માત્ર ૨૮૬,૦૦,૦૦,૦૦૦ રૂપિયા હતી. એટલે કે ખેડાણ જમીનના એકર વધવા છતાં તથા જમીનની પેદાશ અને તે પેદાશના ભાવ વધારનાર નહેરો તથા રેલવેએ પાછળ આટલા વધુ રૂપિયા ખરચાયા છતાં ખેતીની પેદાશમાં વધારો થવાને બદલે ૬૪,૦૦,૦૦,૦૦૦ રૂપિયાને ઘટાડે થયો. એને અર્થ એ જ છે કે જમીનને કસ અને ફળદ્રુપતા ઘટતાં જાય છે. -એ ઘટાડે ખાતરને અભાવે, જમીન પડતર રહેવાને અભાવે અને લેવાતા પાકની જાતમાં વરસો વરસ કરવાના ફેરફારને અભાવે થયો છે. –એ અભાવ મૂડીને અભાવે થયો છે. –મૂડીને અભાવે દેશમાંથી દોલત સતત ખેંચી જતા આપણું પરદેશી રાજ્યને કારણે થયો છે. * “એને અર્થ એ કે, જે પૈસા હિંદુસ્તાનને ફળદ્રુપ અને સમૃદ્ધ બનાવવામાં વપરાવા જોઈતા હતા, તે આપણે ઈંગ્લંડમાં ખેંચી ગયા છીએ. “વળી ત્રીજી વાત. ૨૧ વર્ષ પહેલાં સર વિલિયમ હંટરે ‘ ઈંગ્લડે હિંદુસ્તાનમાં કરેલું કાર્ય ' એ વિષય ઉપર ભાષણ આપતાં જણાવ્યું હતું કે, “હિંદુસ્તાનમાં કરોડ માણસને પેટપૂરતું ખાવાનું નથી મળતું.' For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy