SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આબાદ હિંદુસ્તાન ! ૧૦ થી ૧૫ ટકા જેટલી છે, તે બધા શી રીતે જીવે છે, અને ખાસ કરીને તે વારવાર આવતાં તંગીનાં વર્ષોમાં — એ પ્રશ્નના જવાબ આપવા ભાગ્યે જ કાઈ તૈયાર થશે. ” અંગાળની સરકારે તપાસ વખતે બિહાર માટે નીચે મુજબ તારવણી લખી મેાકલી છે: “ ૧૫ કરોડમાંથી લગભગ ૪૦ ટકા જેટલી વસતીને પેટપૂરતું ખાવાનું નથી મળતું, મજૂરીના દર બહુ જ ઓછા છે, અને તેવી મારી પણ બધાને પૂરતી નથી મળતી. . . કાઈ પણ ધંધા એવા ખીલવી શકાય તેમ નથી કે જેથી બધાને કામ મળી રહે . . . એ સંકટને એક જ ઉપાય દેખાય છે અને તે એ કેટલાક વર્ષો સુધી લાગલાગઢ, હુ મેશને માટે પરદેશ ચાલ્યા જાય. અને તે ઉપાય પણ ત્યારે જ અસરકારક નીવડે, કે જ્યાયે લેાકેા મેટી સખ્યામાં અને સતત પરદેશ ચાલ્યા જાય, '' સરકારને પેાતાની પ્રજાની સ્થિતિ સુધારવાના એક જ ઉપાય દેખાય છે, અને તે “ હુંમેશને માટે મેટી સખ્યામાં દર વર્ષે સતત તેમને દેશની બહાર કાઢી મૂકવાના. મિ. પ્રિયન, આઈ. સી. એસે ગયા જિલ્લા વિષે ઈ. સ. ૧૮૯૭ની સાલની નીચે મુજબ વિગતા પેાતાના પુસ્તકમાં જણાવી છે. તે પુસ્તક મેં ખૂબ તપાસ કરાવી તાપણુ મને ન જ મળ્યું. પરંતુ તેમાંથી અંગ્રેજોના કટ્ટર પક્ષકાર ગણાતા “ પાયેાનિયર ” પત્રે જે ઉતારા આપ્યા છે, તે નીચે જણાવું છું : “ ગયા જિલ્લામાં અર્ધી જીવે છે. આ જિલ્લાની Jain Education International ઉપરની વસતી ખેતી ઉપર ખાસિયત એ છે કે, તેમાં, વાઇસરૉય સાહેબ વદ્યા ૧૩ ખેતીમાં કરેલા ખર્યાં જેટલું પણ પેદા થતું નથી. છ માણસના કુટુ’અને ૧૨રૂ એકર જેટલી જમીન હેાય તા પણ પૂરતી થતી નથી. એટલે કાં તે લેાકાને રેશજ, દિવસમાં એ કરતાં એછી વાર ખાવું પડે છે, અથવા તે! આવકનાં બીજા’ સાધન શોધવાં પડે છે, પરંતુ તેમ છતાંય તેમને ખોગું મળી રહેતું નથી. મિ. પ્રિયને આ વસ્તુ જુદાજુદા કદનાં ખેતરેાની આવક કાળજીપૂર્વક તપાસીને નક્કી કરેલી છે. ઉપરાંત તેમણે ૧૨૧૦ ખેડૂતાનાં ૧૬૩ કુટુમેની વિગતવાર તપાસ પોતાના પુસ્તકમાં નોંધેલી છે. ૧૨૧૦ ખેડૂતો કુલ ૧૪૨૮ એકર જમીન ખેડતા હતા. અને તેમની વાર્ષિક આવક ૯૨૪૮ રૂપિયા હતી. ખેતી ઉપરાંત બીજા સાધન મારફતે તેમને ૫૮૧૦ રૂપિયાની આવક થતી હતી. એટલે ૧૨૧૦ ખેડૂતાની કુલ આવક ૧૫,૧૦૮ રૂપિયા થઈ. એટલે કે માથાદીઠ રૂ. ૧૨-૪-૦. પરંતુ એક માણસને એ ટટક પેટભરીને ખાવા માટે તથા પૂરતાં કપડાં પહેરવા માટે એછામાં એછા ૧૫ રૂપિયા જોઈ એ. એટલે કે લગ્ન, મરણુ, બીમારી વગેરેનાં બીજાં ખ ન ગણતાં પણ તે ગામડાંમાં માથા દીઠ રૂ. ૨-૬-૦ની દર વર્ષે ખાધ આવતી હતી. “ હવે મજૂરાની સ્થિતિ ઉપર આવીએ. મજૂર એ પ્રકારના છેઃ એક તે। સ્વતંત્ર અને બીજા ગુલામ. અંગ્રેજ સરકારના રાજ્યમાં ગુલામેા છે એ જાણી કાઈ ને આશ્ર થશે; પરંતુ વસ્તુસ્થિતિ તેમજ છે. થાડા રૂપિયા આગળથી ધારવાથી તે માણસ આપણે ત્યાં ૧૦૦ વર્ષ કે તે રૂપિયા પાછા વળાય ત્યાં સુધી ગુલામ તરીકે કામ કરવા બધાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy