SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આબાદ હિંદુસ્તાન! પેટપૂરતું ખાવાનું મળે છે. . . . જે લેણદાર આવીને બધે જ પાક દેવા પેટે લઈ ન ગયો હોય તે. દાણુ ખૂટવા માંડે પછી દેવું કરીને તથા મલુચા કે સંપન જેવાં જંગલી ઘાસનાં બી ખાઈ ખાઈને લોકે દહાડા કાઢવા પ્રયત્ન કરે છે. પરંતુ તે બધાથી તેમની તબિયતને ઘણું ભારે નુકસાન થાય છે.” બિહાર મદ્રાસની પેઠે બંગાળની ૧૮૮૧-૮૨ની તપાસના રિપોર્ટ પણ મને આપવામાં નથી આવ્યા. પરંતુ બિહાર માટે નીચેની વિગતે મળી શકે છે : સેટલમેંટ ઑફિસર મિ. કલીન, જિલ્લાનાં ગામડાંની જાતે તપાસ કર્યા બાદ જણાવે છે કે: “ જે ચિત્ર મેં રજૂ કર્યું છે, તે કાંઈ ભારે સમૃદ્ધિ બતાવતું હોય તેવું તે નથી જ. અને ગરીબ વર્ગના લોકો જેમાં વણકરોને પણ સમાવેશ થઈ જાય છે, અને જે કુલ વસ્તીને ૨૫ ટકા જેટલા છે–તેમને પોતાની સ્થિતિ સુધારવાને કાઈ પણ રસ્ત રહ્યો નથી. દુકાળ કે તંગીના વખતમાં તેમને એક પણ પ્રકારને આધાર મળી શકે તેમ નથી.” પટનાના કલેકટર લખે છે: રા એકરથી ઓછી જમીનવાળા ખેડૂતો બહુ જ હલકા પ્રકારનું ધાન ખાવા પામી શકે છે અને તે પણ વર્ષના મોટા ભાગ દરમ્યાન પૂરતું તે નહિ જ. તેમનાં ઘર ખરાબ હોય છે અને શિયાળા માટે પૂરતાં કપડાં પણ તેમની પાસે હોતાં નથી. મજૂરોની બાબતમાં જણાવવાનું કે, તેમને વર્ષમાં આઠ વાઈસરૉય સાહેબ વિદ્યા ૨૧૧ મહિના મજૂરી મળી શકે તેમ હોતી નથી. અને જ્યારે મળે છે, ત્યારે દિવસનું ર શેર સસ્તામાં સસ્તું અને હલકામાં હલકું અનાજ રોજી તરીકે મળે છે. સ્ત્રીઓને તેનાથી અધું મળે છે. ખેડૂતની વસ્તીને માટે ભાગ એટલે કે ૪૦ ટકા જેટલા માણસે પટપૂરતું ખાવાનું જ મેળવી શકતા નથી. ઘર અને કપડાંની વાત તે રહેવા દઈએ. જીવતા રહેવા માટે તથા કામ કરવાની શક્તિ માટે જોઈતું અનાજ તેમને નથી મળતું. વર્ષ માટે ભાગ તેઓને દિવસમાં એક વાર જ ખાવાનું મળે છે અને એ રીતે કેટલાય લાંબા લાંબા ઉપવાસ વેઠવા પડે છે. ઈ. સ. ૧૮૮૧માં સરક નિગહામે આખા બિહાર વિષે લખતાં જણાવ્યું છે: એક વાત તે ચેકસ, કે ગરીબ વર્ગના લોકો પાસે પાંચ વીઘાંથી વધારે જમીન હોતી નથી. અને વસ્તીગણતરી પ્રમાણે ઘર દીઠ સાત માણસ ખાનારાં હોય છે. દર વર્ષ વીઘા દીઠ પેદાશ સરેરાશ ૨૫ રૂપિયાની છે. તેમાંથી ૩ રૂપિયા મહેસૂલના જાય. એટલે છ લાખ જેટલાં માણસને (દર વર્ષે ૭ માણસે ૧૦૨ રૂપિયા એટલે કે ) માથા દીઠ મહિને ૧ રૂપિયો ખાવાપીવા માટે, કપડાંલત્તાં માટે અથવા બીજા જેને માટે ગણે તેને માટે મળે છે. “પરંતુ આ સ્થિતિ તો સારા વર્ગના માણસોની છે. ગરીબ વર્ગના અઅર્ધ ભાગને એટલે કે ૩ લાખ જેટલાં માણસને તે બે વીધા જેટલી જમીન પણ નથી. વળી એ ઉપરાંત જમીન વગરને માત્ર મજૂરી ઉપર જીવનારા લોકે—કે જેમની સંખ્યા પણ ગામડાં દીઠ વસતીના Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy