SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વા જિલ્લામાં અડધા જ A છે. આબાદ હિંદુસ્તાન! કરવાનું અને ખાસ અનુભવી માણસે ભારફતે તપાસ કરવાનું ચાલુ જ રાખ્યું છે. મેં આખા જિલ્લાના જુદા જુદા ભાગમાંથી જુદા જુદા ૨૦૦ દાખલાઓ ભેગા કર્યા છે. પરિણામે મારે એવા સિદ્ધાંત ઉપર આવવું જ પડયું છે કે, નાના નાના ખેડૂતોને મોટા ભાગ રોજ અડધે ભૂખ્યા રહે છે. . . જે ભાગમાં વરસાદ ઉપર જ ખેતીને આધાર, છે, ત્યાં તે તંગીને કારણે વરસાદની અછત ગણી શકાય. પણ વિચિત્ર વાત તે એ છે, કે કુવા વગેરેની પૂરતી સગવડવાળા જિલ્લાઓમાં પણ એ જ સ્થિતિ માલૂમ પડે છે. એટલે, લેકના આ અડધા ભૂખમરાનું કારણુ વરસાદની તંગી છે એમ ન જ કહી શકાય, નહિ તે પાણીની સગવડવાળા જિલ્લાઓમાં કશી જ મુશ્કેલી હોવી જોઈએ નહિ.” બીજા એકસ્ટ્રા આસિસ્ટંટ કમિશ્નર જણાવે છે કે : “આ જિલ્લામાં વસ્તીને મુખ્ય ભાગ હિંદુ તેમજ મુસલમાનોને છે. હિંદુઓ સામાન્ય રીતે સારી સ્થિતિના ગણાય છે. પરંતુ તેમનામાંય પૂરતી આવક વિનાને ભાગ, દેખાય છે તે કરતાં ઘણું મટે છે. તેવા કે હું ત્રણ વર્ગ પાડું છું. (૧) જેમને થોડીઘણી જુવાર અને બાજરી ખાવાની મળે છે પણુ મુખ્યત્વે લીતરી ચરી ખાઈને જ જીવવું પડે છે તેવા. (૨) જેમને દિવસમાં બે વાર ખાવાનું નથી મળતું એવા. (૩) જેમને ખાવાને કદી દાણુ જ નથી મળતા. . . એટલે કે જેઓ ભાજીપાલ કે કંદમૂળ ચરીને જ જીવે છે અથવા ભીખ માગે છે. . . હિંદુઓની કુલ વસ્તીના ઓછામાં ઓછી દશ ટકા આ ત્રણમાંના એકાદ વર્ગમાં જરૂર આવે છે. . . પૂરતું ખાવાનું ન મળવાથી તેઓ વાઇસરૉય સાહેબ વધા ૧૯૭ કંઈ એકદમ મરી જતા નથી. પણ તેઓ રેગી જરૂર થાય છે. તેઓ ઘણુંખરું દૂબળા અને રંગીલા જ હોય છે. તેઓ સુખી જિંદગી ગાળે છે એમ ન કહી શકાય. શહેરમાં ફરતા માણસે જોઈ ને કોઈને આમ નહિ જ લાગે. અને તેમને પિશાક તથા તેમનું સમાજનું મોભાદાર સ્થાન દેખીને તે કેાઈ જ એમ ન માને છે, એ ભૂખે મરતા વર્ગમાં માણસ છે. પંજાબમાં, પિતાની ગરીબાઈ બહાર પડવા દેવી એ બહુ હલકું કામ ગણાય છે. એટલે તેઓ બહારથી પોશાક વગેરેને ઠાઠ ગમે તેમ કરીને ઠીક ઠીક રાખે છે. આવા લોકો માટે આ પ્રાંતમાં “સફેદપશ” એવું નામ પ્રચલિત છે. પરંતુ અહીં મેટા ભાગની વસ્તી મુસલમાની છે. તેમની સ્થિતિ તેટલી સારી નથી. સારાં વર્ષોમાં પણ તેમની વસ્તીને ચાર ટકા ભાગ ભૂખમરાની હદે જ જીવતા હોય છે. અને જેમને પૂરતું ખાવા નથી મળતું એવા લોકો ૨૦ ટકા જેટલા છે એમ કહી શકાય. . . આ વર્ષે તે લોકોએ બકરાનાં બી કે જે અનાજ નથી, તે ખાઈને જ જીવવા માંડ્યું છે. કેટલાક માત્ર તડબૂચ કે તેનાં બી ખાઈને જ ચલાવે છે. . . તે બધામાં બકરાનાં બી ખરાબમાં ખરાબ છે કારણ કે તેમનાથી મરડો જ થાય છે અને ઘણી વાર તે મરડામાંથી મેત જ નીપજે છે. આ વીસ ટકા ઉપરાંત બાકીના લોકેમોને ઘણો મોટે ભાગ દેવામાં સપડાયેલું છે. અત્યારે તે તેમને ઉધાર નાણાં મળતાં હોવાથી તેઓ જુવાર બાજરી વગેરે પૂરતા પ્રમાણમાં ખાઈ શકે છે. પણ તેમનેય પિલા વીસ ટકા For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy