SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ આબાદ હિંદુસ્તાન! ૩૭ ટકા જેટલા દરનાં નાણાં ઉછીનાં લાવવાનું વધુ પસંદ કરે છે. મારા જ વિભાગને દાખલો આપું. અમુક ૧૨ ગામની ગણતરી કરતાં જણાયું છે કે, તેમણે શાહુકાર પાસેથી માત્ર ઢોર વગેરેની ખરીદી માટે કરેલું દેવું ૬૩,૪૪૯ રૂપિયાનું છે. જ્યારે, કુલ ૫૩૫ ગામડાંમાં થઈને સરકાર પાસેથી લીધેલી રકમ માત્ર ૮,૬૪૬ રૂપિયાની જ છે.” મિ. ગાલને કુલ ૭૧ માણસોનાં ૧૩ ખેડૂત કુટુંબની વિગતવાર તપાસ કરી છે, તેનું પરિણામ નીચે મુજબ છે : કુલ આવક : (દેવાની રકમ સાથે): રૂ. ૧૪૪૨-૧૨-૦ ખેતીનું ખર્ચ રૂ. ૧૫૫–૮–૦ મહેસૂલ : ૨૫૩-૧૨-૦ વ્યાજ : ૧૨૮–૮–૦ કુલ ખર્ચ: રૂ. ૨૩-૧૨-૦ બાકી બચત : ૯૦૫-૦-૦ દેવાની રકમ બાદ: ૩૯૧-૦-૦ બાકી રૂ. ૫૧૪-૦-૦ એટલે કે, કુટુંબ દીઠ ૪૦ રૂપિયા અને માથા દીઠ ૮ રૂપિયાની દર વર્ષે આવક છે. હવે તે વર્ષના ભાવ ગણતાં બાજરી જેવા હલકા અનાજ માટે પણ તેમની ગણતરી મુજબ આખા વર્ષમાં થઈને : માણસને રૂ. ૨૩-૦-૦ જોઈએ. બાળકને રૂ. ૧૪-૦-૦ જોઈએ. પણ તેમને બધાને સરેરાશ મળે છે. માત્ર ૮ રૂપિયા ! વાઇસરૉય સાહેબ વિદ્યા મુંબઈ ઇલાકે ડિરેકટર ઑફ ઍગ્રિકલ્ચરે આમવર્ગની આર્થિક તપાસ કરીને જે રિપોર્ટ ઈ. સ. ૧૮૮૭–૮ માં તૈયાર કર્યો છે, તે ઉપરથી જણાય છે: “ હિંદુસ્તાનને બગીચો' કહેવાતા ગુજરાતમાં કુલ વસ્તી ૨,૮૫૭,૭૩૧ માણસેની છે. તેમાં ગરીબ વર્ગના લોકે ૪૭ ટકા એટલે કે ૧,૩૩૫,૦૪૮ જેટલા છે. એ પ્રાંતમાં જીવનનિર્વાહનું ઓછામાં ઓછું ખર્ચ વર્ષે ૨૮ રૂપિયા છે. હવે તેઓ સાહેબ જણાવે છે કે: અમદાવાદ જિલ્લામાં ખેડૂત કુટુંબોમાંથી ૧૦ ટકા જેટલા ભાગને તેમનાં ખેતરમાંથી ૯ મહિના ગુજરાન ચાલે તેટલી આવક થાય છે. ખેડા જિલ્લામાં ૪૧ ટકા જેટલાં ખેડૂત કુટુંબને ખેતરમાંથી વર્ષના ૩ મહિના ચાલે તેટલી આવક થાય છે. ભરુચમાં ૧૦ ટકા જેટલા ખેડૂતોને વર્ષમાંથી માત્ર ૬ મહિનાની ખરચી નીકળે તેટલી આવક ખેતરમાંથી થાય છે. સુરત જિલ્લામાં ૧૫ ટકા જેટલાને વર્ષમાંથી ૬ મહિના નીકળે તેટલી આવક થાય છે અને પંચમહાલમાં (ટકા જણાવ્યા નથી) ૧૦ મહિના ચાલે તેટલી પેદાશ થાય છે. ત્યારે તે કે વર્ષના બાકીના ભાગમાં કેમ કરીને જીવે છે? ડિરેક્ટર સાહેબ જ જણાવે છે કે : “ખેતીની મોસમમાં પણ શાહુકાર જ ખેડૂતને જીવતો રાખે છે, અને પાક તૈયાર થયો કે તે બધો પડાવી લઈ Jain Education Internation For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy