SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકમાં મેરુ-પર્વતની જેમ અડોલ બની જાય છે. ૧૪ માં ગુણસ્થાનકમાં મન-વચન-કાયાના યોગોનો અભાવ હોવાથી તે અયોગીકેવલિ નામે ઓળખાય છે. પાંચ ધૃસ્વાક્ષર અ-ઈ-ઉને સૃ ના ઉચ્ચારણકાળ જેટલા ૧૪ માં ગુણસ્થાનકના કાળને સંપૂર્ણ કરીને અસ્પૃશદ્ધતિથી સિદ્ધશિલા ઉપર લોકાગ્રે આરુઢ થાય છે. તેઓ સિદ્ધ ભગવાનના નામે ઓળખાય છે. અક્ષય સ્થિતિનો ભોગવટો કરે છે. આ સ્થિતિમાં ક્યારે પણ ફેરફાર Jain Education International ** જીવ જાણે એક સૂર્ય છે. સૂર્યના તેજની જેમ અનંતગુણમય આત્માના મુખ્ય સ્વરૂપમય આઠ મૂળ ગુણો છે. અનંતજ્ઞાન, અનંત-દર્શન, અવ્યાબાધ-અનંત સુખ, ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર યાને વીતરાગતા, અક્ષય-અજર-અમર સ્થિતિ, અરુપીપણું, અગુરુલઘુ અને અનંતવીર્ય છે, તેના ઉપર આઠ જાતના કર્મરૂપી વાદળ છવાયેલા હોવાથી એનું મૂળ સ્વરૂપ પ્રગટ થતું નથી. તેમાંથી વિકૃતિરૂપી અંધકાર બહાર પડે છે. દા.ત. જે કર્માણુઓ આત્માના જ્ઞાનગુણને દબાવે તે કર્માણુઓ જ્ઞાનાવરણીય કર્મ, તેના લીધે અજ્ઞાનમય વિકૃત સ્વરૂપ બહાર પડ્યું છે. જે કર્માણુઓ આત્માના દર્શન ગુણનો અભિભવ કરે છે તે દર્શનાવરણીય કર્મ. તેના લીધે દર્શનશક્તિ હણાઈ, દબાઈ ગઈ હોવાથી અંધાપો, અશ્રવણ વગેરે તથા નિદ્રાદિ વિકૃતિઓ બહાર પડી છે. જે કર્માણુઓ આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુ:ખ આપે તે કર્માણુઓ વેદનીય કર્મ, તેના લીધે આત્માનું સ્વાધીન અને સહજ સુખ દબાઈ જઈને કૃત્રિમ પરાધીન, અસ્થિર શાતા-આશાતા ઊભી થઈ છે. આત્માના ક્ષાયિક સમકિત તથા સ્વભાવ-૨મણતા રૂપ ચારિત્રને દબાવનારા કર્માણુઓ તે મોહનીય કર્મ. તેના લીધે મિથ્યાત્વ, રાગદ્વેષ, અવ્રત, હાસ્યાદિ, કામ, ક્રોધાદિ પ્રગટ થયા કરે છે. અક્ષયસ્થિતિ ગુણને રોકીને જન્મ, મરણનો અનુભવ કરાવનારા કર્માણુઓ આયુષ્ય કર્મ જેનાથી જન્મ, જીવન, મરણના અનુભવ કરવા પડે છે. અરૂપીપણાને દબાવીને મનુષ્યગતિ, શરીરાદિ પર્યાયોને અનુભવ કરાવનારા કર્માણુઓ નામકર્મ, જેના લીધે ગતિ, શરીર, જાતિ વિડ મળવાથી જીવ અરૂપી છતાં રૂપી થઈ ગયો છે. એનાથી ઈન્દ્રિયો, જાતિ, ગતિ, જશ, અપજશ, સૌભાગ્ય, દૌર્ભાગ્ય, ત્રસપણું, સ્થાવર૫ણું વગેરે ભાવો પ્રગટે છે. અગુરુ-લઘુપણાનો પરાભવ કરીને ઉચ્ચકુલ કે નીચકુલનો થતો ન હોવાથી તેને સાદિ અનંત સ્થિતિ કહે છે. અહીં કોઈપણ જાતનું દુઃખ-શોક, રોગ-પીડા, આધિ-વ્યાધિ-ઉપાધિ, ભૂખતરસ-બેચેની-ઔત્સુક્ય-વિગેરે કાંઈ જ હોતું નથી. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંત વીર્ય આ અનંત ચતુષ્ટયના ગુણોમાં સદાકાળ સિદ્ધાત્મા ઝીલતા રહે છે. જીવમાંથી શિવ બન્યા તે આનું જ નામ. જીવની કર્મને લઈ અશુદ્ધ અવસ્થા તે સંસાર છે, કર્મક્ષયથી પ્રગટેલી શુદ્ધ અવસ્થા તે મોક્ષ છે. (૧૩) જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ : ૮ કર્મના આવરણ : દોષો ૪ વ્યવહાર કરાવનારા કર્માણુઓ ગોત્રકર્મ : જેના લીધે સારું નરસું કુલ મળે છે. અનંત વીર્ય ગુણને દબાવનારા કર્માણુઓ અંતરાય કર્મ. તેના લીધે કૃપણતા, દરિદ્રતા, પરાધીનતા, દુર્બલતા ઊભી થઈ છે. કર્મના અવાંતર ભેદોની ઓળખાણ ઃ (૧) જ્ઞાનાવરણ ૫ :- મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃપર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ આ પાંચ આવરણ આત્માના મતિ વગેરે પાંચ જ્ઞાનને અટકાવે છે. મતિજ્ઞાન-ઈન્દ્રિય કે મનથી થતું જ્ઞાન. શ્રુતજ્ઞાન = શાસ્ત્ર ઉપદેશ વગેરેથી થતું શબ્દાનુસારી જ્ઞાન, અવધિજ્ઞાન ઃ- ઈન્દ્રિય કે મન કે શાસ્ત્રની સહાય વિના સીધું આત્માને થતું રૂપી દ્રવ્યોનું પ્રત્યક્ષ જ્ઞાન. મન:પર્યવજ્ઞાન = અઢીદ્વીપમાંના સંશી પંચેન્દ્રિયજીવોના મનનું પ્રત્યક્ષજ્ઞાન. આ જ્ઞાન અપ્રમત્તમુનિને જ ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાનઃ સર્વ કાલના સર્વ દ્રવ્યો અને એના સર્વ પર્યાયોનું આત્માને થતું પ્રત્યક્ષ, સાક્ષાત્ જ્ઞાન (અહીં મતિજ્ઞાનમાં ૪ અવસ્થા છે, અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. અવગ્રહ =પ્રાથમિક સામાન્ય ખ્યાલ, ઈહા = ઉહાપોહ, અપાય = નિર્ણય; અને ધારણા = અવિસ્મરણ, સંસ્કાર) (૨) દર્શનાવરણ ૯ :- ૪ દર્શનાવરણ + ૫ નિદ્રા = ૯, પહેલા ચારમાં (૧) ચક્ષુદર્શનાવરણ = ચક્ષુથી દેખી ન શકાય ૨. અચક્ષુદર્શનાવરણ - અન્ય ઈન્દ્રિય કે મનથી અદર્શન. ૩. અવધિદર્શનાવરણ=રૂપી દ્રવ્યનું દર્શન રોકનાર. ૪. કેવલદર્શનાવરણ =વસ્તુના સંપૂર્ણ દર્શનને રોકનાર, પાંચ નિદ્રામાં (૧) નિદ્રા = અલ્પ નિદ્રા, જેમાંથી સુખેથી જગાય તે, (૨) નિદ્રાનિદ્રા = ગાઢ નિદ્રા, જેમાંથી કષ્ટે જગાય તે, (૩) પ્રચલા = બેઠા કે ઊભા નિદ્રા આવે. (૪)પ્રચલા-પ્રચલા=ચાલતાં નિદ્રા આવે તે (૫) સ્ત્યાનદ્ધિ = જેમાં જાગ્રતની જેમ દિવસે For Private & Personal Use Only www.jalnelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy