SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કાળચક્રો = એક પદ્ગલ પરાવર્ત. અનંતા પુદ્ગલ પરાવર્ત-અતીતકાળ, અતીત કાળથી અનંતગણ= અનાગત=ભાવિકાળ. નવ તત્ત્વોનો ઊંડો અભ્યાસ અને તે મુજબનું જીવન પરિવર્તન ભાવિ ઉજ્જવળ કરે છે. (૧) શેય :જીવ અને અજીવ બે તત્ત્વો છે. (૨) હેચ - પાપ-આશ્રવ-બંધ એમ ત્રણ તત્ત્વો છે. (૩) ઉપાદેય - પુણ્ય-સંવર-ર્નિજરા-અને મોક્ષ એમ ચાર તત્ત્વો છે. શેય પ્રત્યે:- ઉદાસીન ભાવ રાખવો, રાગ-દ્વેષ ન કરવા, સર્વે જીવો પ્રત્યે દયા કરવી, અજીવ પ્રત્યે નિર્મમ-ઉદાસીનભાવ રાખવો. સંકુલેશ ન કરવો. રાગ-દ્વેષનો નિગ્રહ કરવો. હેય પ્રત્યે - ત્યાજ્ય માની અરુચિ, અણગમો થાય, જેનું ફળ ભયંકર તેની રુચિ શી કરવી'તી ! તેથી ઉત્તરોત્તર તેનો ત્યાગ વધારવો. ઉપાદેય પ્રત્યે :- આદરણીય સમજી, રુચિ, રસ-હોંશ રખાય. જેનું ફળ સુંદર તેમાં પ્રમાદ કેવો? ઉત્સાહ-પુરુષાર્થથી આગળ વધવું. નવતત્ત્વ ગ્રંથના અભ્યાસની વિશેષ જાણકારી ગુરૂગમથી મેળવવી. જેનું પરિશીલન સમ્યકત્વ પ્રાપ્તિ, સર્વવિરતિની પ્રાપ્તિ, આત્મપરિણતિ અને આત્મશુદ્ધિમાં લાભદાયી છે. * * (૧૦) નિગોદથી મોક્ષ સુધી આત્માનો વિકાસક્રમ દ્વારા વિશ્વનો પ્રત્યેક જીવ પોતાના વિકાશને ઝંખે છે. પરંતુ જ્યાં સુધી તેની દૃષ્ટિમાં (૧) વિકાસનું સાચું સ્વરૂપ આવે નહિ તેમજ (૨) ભૂતકાળમાં પોતાનો આત્મા કેવા કેવા પરિવર્તનો અનુભવી ચૂક્યો છે તેનો ઈતિહાસ અને (૩) ભાવિમાં વિકાસની આગેકૂચ માટેના કર્તવ્યનું ભાન થાય નહિ ત્યાં સુધી વિકાસને રટતો પણ પોતે અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. તેની આ અથડામણ ટાળવા માટે અહીં ઉપરોક્ત વસ્તુઓનું (બાબતોનું) માર્ગદર્શન કરાવવામાં આવેલ છે. (૧) નકશાના મધ્યભાગમાં ૧૪ વિભાગમય લોકાકાશ વિશ્વની આકૃતિ દર્શાવવામાં આવી છે. જે સમગ્ર જીવોના આશ્રયભૂત સ્થાન છે. અનાદિ કાળથી જીવ આ વિશ્વમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જીવ પોતે કદાપિ નવો ઉત્પન્ન થતો નથી. પરંતુ જ્યારથી તે વિશ્વમાં છે. ત્યારથી માંડીને તેના અનાદિકાલીન નિવાસસ્થાનને “નિગોદ' સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. નિગોદ એ સૂક્ષ્મ એકેન્દ્રિય વનસ્પતિકાયનો એક એવો વિભાગ છે કે જેમાં અનંત જીવોનું એકમાત્ર સાધારણ (Common) અતિલઘુ શરીર હોય છે. એવું લઘુ કે તે અનંત ભેગા થાય ત્યારે એક સૂમ રજ જેવું બને. જ્યાં સુધી જીવ આ સૂક્ષ્મ નિગોદમાંથી એકવાર પણ બહાર નીકળીને બાદર નિગોદ વિગેરે જીવ-સ્થાનોમાં આવતો નથી, બાદર નિગોદ-પૃથ્વીકાયિક વગેરે વ્યવહાર પામતો નથી. ત્યાં સુધી તે અવ્યવહાર રાશિના જીવ રૂપે ઓળખાય છે. પ્રત્યેક જીવ અનંત પગલ પરાવર્તકાળ સુધી આ અવ્યવહાર રાશિમાં નિવાસ કરી ચૂક્યો છે, અને હજુ પણ એવા અનંતાનંત જીવો છે કે જેઓ તેમાંથી બહાર આવ્યા નથી અને ભવિષ્યમાં પણ તેમાંથી અનંતાભાગના જીવો જ બહાર આવશે, બાકીનાં ત્યાંને ત્યાં જ રહેવાના છે. સૂક્ષ્મનિગોદ સિવાયના બાકીના બધા જીવ સ્થાનો તેમજ તે જીવસ્થાનોમાં જઈને ફરી પાછા સૂક્ષ્મનિગોદમાં આવેલા જીવોને પણ વ્યવહારરાશિના જીવ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવહાર રાશિ પણ પ્રવાહથી અનાદિકાળથી અસ્તિત્વમાં છે. પરંતુ પ્રત્યેક જીવને આશ્રયીને તેની શરૂઆત અનાદિકાલીન સૂક્ષ્મનિગોદ અવસ્થાનો એકવાર ત્યાગ કરે ત્યારથી થાય છે. મનુષ્યભવમાંથી એક જીવ પોતાના સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત બને ત્યારે કોઈ એક જીવ અવ્યવહાર રાશિનો ત્યાગ કરીને વ્યવહાર રાશિમાં આવે છે. સિદ્ધિગતિ પણ પ્રવાહથી અનાદિ હોવા છતાં પ્રત્યેક સિદ્ધ જીવોને આશ્રયીને આદિયુક્ત છે. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવામાં જીવનો આપણા જેવો કોઈ પુરુષાર્થ હોતો નથી. પરંતુ તે જીવની ભવિતવ્યતા જ તેમાં બળવાન કારણ છે છતાં એક જીવના મોક્ષગમનને પણ તેમાં નિમિત્ત માની શકાય છે. આ અવ્યવહાર રાશિમાંથી પહેલીવાર નીકળતો જીવ યથાસંભવ બાદ એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. (દવ-નરક કે મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી) અને આ ભવમાં આવ્યા પછી યથાસંભવ સંસારની ચારે ગતિઓમાં તેના પરિભ્રમણનો આરંભ થાય છે. બાદર નિગોદ-પૃથ્વીકાય-અપ્લાય-અગ્નિકાય-વાયુકાય-પ્રત્યેક ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy