SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સમૂ૦ જીવો અસંખ્યની સંખ્યામાં ઉત્પન્ન થાય અને મૃત્યુ પામે છે, માટે પ્રમાદ થવા દેવો નહિ, એઠું પવાલું રાખવું નહિ, એઠું પવાલું ગોળામાં બોળવું નહિ, થાળી એંઠી રાખવી નહિ. પસીનાવાળું કપડું શરીર ઉપરથી કાઢ્યા પછી તુરત સૂકવી દેવું. પસીનાવાળાં ભીનાં કપડાં સંકેલવા નહિ. ભોજનમાં એઠું મૂકવું નહિ. થુંક-બળખો છૂટો નાંખવો નહિ. માટી-રાખમાં ભેળવી દેવો, ગરમ ટુકડામાં ઘસી સૂકવી દેવું. દેવતાના ૧૯૮ પ્રકાર અતિ પુણ્યના પ્રભાવે જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. દેવતાઓ ફૂલની શૈયામાં ઉત્પન્ન થઈને અંતર્મુહર્તમાં દેવકાયાનું નિર્માણ કરે છે. જ્યાં સુધી પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી અપર્યાપ્તા કહેવાય. પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પર્યાપ્તા કહેવાય છે. દેવતાના ૯૯ પ્રકારો અપર્યાપ્ત છે અને ૯૯ પ્રકાર પર્યાપ્તા છે, એમ ૧૯૮ પ્રકારો થાય છે. તે આ રીતે :- ૫ અનુત્તર + ૯ રૈવેયક + ૧૨ વૈમાનિ: +૯ લોકાન્તિક + ૩ કિલ્બિષિક + પ ચર જ્યોતિષ + ૫ સ્થિર જ્યોતિષ + ૮ વાણવ્યંતર + ૮ વ્યંતર + ૧૫ પરમાધામી + ૧૦ ભવનપતિ + ૧૦ તિર્યકુ જંભક = ૯૯ પ્રકારના અપર્યાપ્તા તથા + ૯૯ પર્યાપ્તા = ૧૯૮ ભેદ જાણવા. દેવીઓની ઉત્પત્તિ બીજા દેવલોક સુધી છે. તે ઉપર૮ માં દેવલોક સુધી જઈ શકે છે. ઉત્તરોત્તર દેવલોકમાં સુખ વધતું જાય છે. અને વિકાર-વાસના ઘટતી જાય છે. નારકના ૧૪ પ્રકાર : અતિ પાપસેવનથી જીવ અધોલોકમાં નરકમાં આવીને નરકની કુંભમાં ઉત્પન્ન થાય છે. જ્યાં ક્ષેત્રની વેદના, પરમાધામીકૃત વેદના તથા પરસ્પરકૃત વેદના અપરંપાર હોય છે. ક્રોડા પ્રકારના રોગો એક સાથે ભોગવવા પડે છે. (૧) રત્નપ્રભા (૨) શર્કરપ્રભા (૩) વાલુકા પ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમપ્રભા (૭) તમસ્તતમઃ પ્રભા આ સાતે નારકના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદ ગણતાં ૧૪ થાય છે. ૭ નારક અપર્યાપ્તા તથા ૭ નારક પર્યાપ્તા, નારકનું જઘન્ય આયુ ૧૦ હજાર વર્ષનું, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું છે. નારકો નપુંસક, અશુભ વર્ણાદિવાળા, અતિ અતિ દુઃખી હોય છે. તિર્યંચગતિના ૪૮, મનુષ્યના ૩૦૩, દેવોના ૧૯૮ અને નારકના ૧૪ એમ જીવોના ૫૬૩ ભેદ જાણવા. આપણો જીવ અનંતીવાર ચાર ગતિમાં ભમી આવ્યો છે. હવે સમ્યગ્રજ્ઞાન અને ક્રિયા સાથે મોક્ષનો ઉદ્યમ કરે તો પરમગતિ=મોક્ષ પામે અને અનંત અવ્યાબાધ સુખનો અનુભવ કરે. (જીવોના શરીરમાન અને આયુષ્ય માટે પાનું ૩ર વાંચો.) આર્તધ્યાન-રૌદ્રધ્યાન સ્વરૂપ અશુભ ધ્યાન જન્મ-મરણાદિ સંસારની વૃદ્ધિ કરે છે. ધર્મધ્યાન-શુક્લધ્યાન સ્વરૂપ શુભ ધ્યાન જન્માદિ સંસારનો સંપૂર્ણ નાશ કરે છે. ધ્યાન શતક નામના ગ્રંથમાં શુભ-અશુભ ધ્યાનનું માર્મિક વર્ણન છે. દરેક ધ્યાન સાધકને અતિ ઉપયોગી છે. સૌ પ્રથમ અશુભ ધ્યાન જે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ઓળખાય છે. બન્નેના ચાર-ચાર ભેદો છે. જેનો સંક્ષેપ-આર્તધ્યાન (૧) ઈષ્ટ પ્રાપ્તિ, (૨) અનિષ્ટનો પરિહાર, (૩) રોગ મુક્તિ, (૪) ઐશ્વર્યાની અભિલાષારૂપ નિયાણું કરવું એમ ચાર પ્રકાર છે. (૧) દરેક સંસારી જીવને ઈષ્ટ-મનગમતાં પદાર્થો મેળવવાની ઝંખના સતાવ્યા કરે છે. ઈષ્ટને મેળવવા માટે રાત દિવસ દોડધામ કરે છે, ન કરવાના પાપો કરે છે, શારીરિક-માનસિક કષ્ટ વેઠે છે. પ્રબળ મહેનત છતાં ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી. કદાચ મળી જાય તો લાંબોકાળ ઈચ્છા મુજબ રહેતું નથી. જાત-જાતના સંકલ્પ વિકલ્પોમાં મનને ચેન પડતું નથી. મનની પીડા એ આર્તધ્યાન છે. (૨) અનિષ્ટ અણગમતાં થયેલા યોગને દૂર કરવાની ઈચ્છા. પ્રતિકૂળયોગમાં મનથી બળતરા કરતા રહેવું. જેમકે શેઠ બરાબર ન મળ્યા, નોકર ચોરટીયો મળ્યો. સગા-વહાલા દુમન જેવા મળ્યા, જેલમાં પૂરાવું પડ્યું, વારંવાર અપમાનિત થવું પડ્યું. વિ. અનિષ્ટો દૂર ન થાય ત્યાં સુધી મનને સંતપ્ત રાખવું. (૩) રોગ-મુક્તિ-કર્મના ઉદયે આવેલા રોગોને મટાડવાની ચિંતા, રોગ કેમ મટે ? કોણ રોગ મટાડી આપશે? દવાઓ લેવા છતાં કેમ રોગ મટતાં નથી ? આમ શરીરના વ્યાધિના યોગે ચિંતાગ્રસ્ત બનીને મનને દુઃખી દુઃખી કરવું. આથી નવા નવા રોગો થાય છે. (૪) ઐશ્વર્ય કામનાનું નિયાણું કરવું. મને અહીં જોઈએ એવું સુખ નથી મળ્યું. મળેલું સુખ પણ વિણસી જાય છે. બીજા જીવોને પુણ્યના યોગે મળેલા ઐશ્વર્ય સુખને લક્ષ્યમાં રાખીને મને પણ તપ-જપ ધર્મના પ્રભાવે આવા ઐશ્વર્યાદિ સુખો મળો. આ કામના શમે નહીં ત્યાં સુધી મન અસ્વસ્થ-પીડાવાળું રહે છે. જીવની અજ્ઞાનદશાનું નિવારણ ન થાય ત્યાં સુધી મન દુઃખી રહે છે. ૩૧ For Private & Personal Use Only Jain Education International www.ainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy