SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) ચાર ગતિના જીવોના ૫૬૩ પ્રકારો | " " " જ છે ) વિશ્વમાં જીવો બે પ્રકારના છે. એક મુક્ત, બીજા સંસારી. આઠે પ્રકારના કર્મથી રહિત. સંસારી એટલે કર્મબંધનથી જુદી જુદી ગતિઓ, શરીરો, પુદ્ગલો અને ભાવોમાં સંસરણ કરનારા-ભટકનારા. જીવનું લક્ષણ ઉપયોગ જ્ઞાન કે દર્શનનું સ્કૂરણ, ચેતના=જ્ઞાન, સુખ-દુ:ખાદિનું સંવેદન-અનુભવ. સંસારી જીવો એક ઈન્દ્રિયથી માંડી પાંચ ઈન્દ્રિયવાળા હોય છે. તિર્યંચગતિમાં પણ એકથી પાંચે ઈન્દ્રિયવાળા જીવો હોય છે. એમાં એક જ સ્પર્શેન્દ્રિયવાળા એકેન્દ્રિય જીવો સ્થાવર કહેવાય છે ૨, ૩, ૪ અને ૫ ઈન્દ્રિય ધરાવનાર જીવો ત્રસ કહેવાય છે. ઈન્દ્રિયોની ગણતરી આપણા મુખ ઉપર દાઢીથી કાન સુધીનો જે ક્રમ છે તે હિસાબે સમજવી. બેઈન્દ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય સાથે રસના ઈન્દ્રિય છે. તે ઈન્દ્રિય જીવોને તે બે ઈન્દ્રિય ઉપરાંત ધ્રાણેન્દ્રિય છે. ચતુરિન્દ્રિય જીવોને તે ત્રણ ઈન્દ્રિય ઉપરાંત ચક્ષુ વધારે અને પંચેન્દ્રિય જીવોને તે ચાર ઈન્દ્રિય ઉપરાંત શ્રોત્રંદ્રિય વધારે હોય છે. સંસારી જીવો બે પ્રકારે :- ૧) સ્થાવર (સ્થિર રહે અથવા સ્વેચ્છાએ ગતિ ન કરી શકે તે એકેન્દ્રિય જીવો) ૨) ત્રસ :- સ્વેચ્છાએ હાલી ચાલી શકે તે. સ્થાવર જીવો ૨૨ પ્રકારે - પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય, વાયુકાય. આ ચારેયના સુક્ષ્મ અપર્યાપ્તા અને સુમિ પર્યાપ્તા તથા બાદર અપર્યાપ્તા-બાદર પર્યાપ્તા. એમ ૪-૪ ભેદ થતાં ૧૬ ભેદ થાય. વનસ્પતિકાય ૬ પ્રકારે :-પ્રત્યેક વનસ્પતિકાયના બે પ્રકાર :- બાદ અપર્યાને બાદર પર્યા૦, સાધારણ વનસ્પતિકાયના ચાર પ્રકાર ૧ સૂક્ષ્મ, ૨ બાદર અપર્યાવ ને પર્યાપ્તા. આમ ૧૬+ = ૨૨ જીવ ભેદો એકેન્દ્રિયના જાણવા. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરી હોય તે અપર્યાપ્તા કહેવાય. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી હોય તે પર્યાપ્તા કહેવાય. બાદર= ચર્મ ચક્ષુથી દેખી શકાય તેવા સ્થૂલ શરીરધારી હોય છે સૂક્ષ્મ = ચર્મ ચક્ષુથી દેખી ન શકાય તેવા સુક્ષ્મ શરીરધારી અછેદ્ય, અદાહ્ય, અભેદ્ય હોય છે. (૧) પૃથ્વીકાય:- પૃથ્વી એ જ છે કાયા જેની તેવા જીવ :રત્નો, ધાતુઓ, માટી, પાષાણ, મીઠું, ખાર, ફટકડી, હિંગળોક, પરવાળા, હડતાલ, પારો, મણસિલ, સુરમો, ખડી વગેરે જાણવા. (૨) અકાય:- પાણી એ જ છે કાયા જેની તેવા જીવ - ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, ધૂમસ, હીમ, ઘનોદધિ= રત્નપ્રભા આદિ પૃથ્વીની નીચે વલયાકારે અસંખ્ય યોજન સુધી થીજેલું પાણી, વનસ્પતિ ઉપર બાઝેલું પાણી. હાઈડ્રોજન + ઓક્સીજન વાયુના સંયોગથી થતું પાણી. ધ્યાનમાં રહે કે પાણીમાં પોરા વગેરે હલન-ચલન કરતાં ઝીણા ત્રસ જીવો જુદા છે. વિજ્ઞાને સૂક્ષ્મદર્શક યંત્રથી ૧ પાણીના ટીપામાં તેવા ૩૬OO0 ઉપર હાલતાં ચાલતાં જીવો દર્શાવ્યા છે. (૩) તેઉકાય:- અગ્નિ એ જ કાયા જેની તેવા જીવ :અંગારા, વાલા, તણખા, ભાઠા-લીંડી વગેરેનો અગ્નિ (મુર્ખર) ઉલ્કા= આકાશમાંથી ખરતા રેખા રૂપ અગ્નિ. વિજળી-દીવાની ઉજેણી (પ્રકાશ) વગેરે. (૪) વાયુકાય:- વાયુ છે કાયા જેની તેવા જીવ-ઉભ્રામક = ઘાસ વગેરેને ઊંચે ભમાવે વાયુ) તેને સંવર્તક પણ કહે છે. ઉત્કલિક = રહી રહીને વાય અને ધૂળમાં રેખા કરે તે. મંડલિક = પાંદડા વગેરેને ગોળ ભમાવે તે વાયુ, મહાવાયુ, શુદ્ધવાયુ, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત = રત્નપ્રભા પૃથ્વીની નીચે વલયાકારે રહેલો થીજેલો ઘનવાયુ અને ત્યાં રહેલો પાતળો વાયુ તનવાત જાણવો. (૫) વનસ્પતિકાય બે પ્રકારે (૧) સાધારણ (૨) પ્રત્યેક સાધારણ વન = જેમાં એક શરીરમાં અનંતા જીવો છે. એ શરીરને નિગોદ કહે છે. લક્ષણ :- જે વનસ્પતિમાં નસો, સંધિ અને પર્વ ગુપ્ત હોય, ભાંગવાથી સરખા ભાગ તંતુ ન જણાય, છેદેલો ટૂકડો વાવવાથી ફરી ઊગે તે અનંતકાય. ઊગતી વખતે અંતર્મુહૂર્ત સુધી સર્વે કિસલય, પાંચે રંગની ફુગ, સેવાળ, ભૂમિકંદ, તાજા અંકુર, કુણા પાંદડા-ફળ, લીલી હળદર, આદુ, કચરો, બટાટા-લસણ-ડુંગળી, શેકરિયા, મૂળા વિ. ૩૨ પ્રકારના અનંતકાય છે. પ્રત્યેક વન = જેમાં એક શરીરમાં એક જીવ તે. મૂળકંદ-સ્કંધ-ડાળી, પાંદડા, પુષ્પ, ફળ, બીજ, કાષ્ઠ, છાલ, ગુચ્છ (કપાસ), ગુલ્મ (મોગરા વિગેરે ફૂલઝાડ) લતા-ચંપકાદિ પુષ્પોના વેલા ઈત્યાદિ જાણવા. પ્રત્યેક વનસ્પતિ સિવાયના પાંચેય સ્થાવરોના પ્રત્યેકના અસંખ્ય બાદર શરીરો ભેગા મળે ત્યારે તે ચક્ષુથી જોઈ શકાય. પ્રત્યેક વનડેસિવાય પૃથ્વીકાયાદિ પાંચના સૂક્ષ્મ જીવ ભેદો પણ છે. તે ૧૪ રાજલોકમાં સર્વત્ર રહેલા છે. સૂક્ષ્મ જીવો બીજાથી ૨૯ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy