SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં ચેઇયાણં (ચૈત્યda) સૂત્ર अरिहंत-चेइयाणं (અર્થ) - હું કાયોત્સર્ગ કરું છું करेमि काउस्सग्गं અરિહંત પ્રભુની પ્રતિમાઓના, १. वंदणवत्तियाए (મન-વચન-કાયાથી સંપન્ન) વંદન હેતુ, २. पूअणवत्तियाए (પુષ્પાદિથી સંપન્ન) પૂજન હેતુ, ३. सक्कारवत्तियाए (વસ્ત્રાલંકારાદિથી સંપન્ન) સત્કાર હેતુ, ४. सम्माणवत्तियाए (સ્તોત્રાદિથી સંપન્ન) સન્માન હેતુ, (તાત્પર્ય સમસ્ત ભક્તોથી કરાતા અર્ટબિં५. बोहिलाभवत्तियाए બના વંદન આદિની અનુમોદના અર્થે અને તેથી થતા કર્મક્ષયાદિના લાભ ६. निरुवसग्गवत्तियाए માટે.) (અને) સમ્યકત્વાદિ જૈનધર્મ હેતુ, મોક્ષ હેતુ, (આ પણ કાયોત્સર્ગ કયા १. सद्धाए સાધનોથી) તો કે, २. मेहाए ‘વઠ્ઠ માણીએ'= વધતી જતી ३. धिईए શ્રદ્ધાથી = તત્ત્વપ્રતીતિથી (શરણ-બળાત્કારથી નહિ) ૪. વારાણ મેધાથી = શાસ્ત્રપ્રજ્ઞાથી (જડતાથી નહિ) ५. अणुप्पेहाए ધૃતિથી = ચિત્તસમાધિથી (રાગાદિ-વ્યાકુળતાથી નહિ) वड्ढमाणीए ધારણાથી = ઉપયોગદૃઢતાથી (શૂન્યતાથી નહિ) ठामि काउस्सग्गं અનુપ્રેક્ષાથી = તત્ત્વાર્થચિંતનથી (ચિંતન વિના નહિ) હું કાયોત્સર્ગ કરું છું. | (સમજ) - આ સૂત્ર, અર્ણ પ્રતિમાઓના સકલ ભક્તોથી કરાતા વંદન-પૂજન-સત્કાર-સન્માનના અનુમોદન અને તેથી થતા કર્મ-ક્ષયાદિના લાભ હેતુએ તથા બોધિલાભ અને મોક્ષહેતુએ કાયોત્સર્ગ કરવા માટે બોલવાનું છે. આ સૂત્રમાં બે ભાગ છે. (૧) કાયોત્સર્ગના ૬ નિમિત્ત યાને પ્રયોજન કે જે પ્રયોજનોએ આ કાઉસ્સગ્ન કરાશે. (૨) કાયોત્સર્ગ માટે પ સાધન, કે જેના વડે કાયોત્સર્ગ- ધ્યાન કરાશે. ૧) છ નિમિત્ત (પ્રયોજન)માં પણ બે ભાગ છે (૧) “સમ્માણ’ સુધી ૪ નિમિત્ત, ચેત્યોનો વંદન-પૂજન-સત્કાર-સન્માન અને (૨) બોધિલાભ તથા મોક્ષ, એમ ૨ નિમિત્ત માટે અહીં ધ્યાનમાં રહે કે “અરિહંત ચેઇયાણં' પદને ‘વંદણo' થી ‘સમ્માણવત્તિયાએ’ સુધીના ચાર જ નિમિત્ત-પદો સાથે જોડવાનું છે, પણ પછીના ‘બોહિલાભ૦, નિરુવસગ્ગ’ સાથે નહિ. (કેમકે, વંદનાદિ ૪ તો ચેત્યોના હોય, કિન્તુ બોધિલાભ-મોક્ષ ચેત્યોના નહિ પણ આપણા લેવા છે.) આમ, “અરિ ચેઇયાણં' પદ ‘વંદણ૦' સાથે જોડાઇ ગયા પછી ‘કરેમિ કાઉ’ ‘પદ જોડાશે. તેથી અન્વય આ રીતે, ‘અરિ ચેઇવંદણવત્તિયાએ પૂયણo સક્કા૨૦ સમ્માણવત્તિયાએ કરેમિ કાઉસગ્ગ” હવે બાકી ‘બોટિલાભ૦’ આદિ બે નિમિત્તપદ સાથે ‘અરિ ચેઇ’ નથી જોડવાનું. માત્ર ‘કરેમિ કાઉ.' જોડાય. તેથી ‘બોહિo નિરવલ્સગવત્તિયાએ કરેમિ કાઉસ્સગ્ગ’ એમ અન્વય કરવાનો. એટલે કાયોત્સર્ગ આ છ પ્રયોજન લક્ષમાં રાખીને કરવાનો, અર્ધચેત્યવંદનાદિ ૪ અને બોધિ-મોક્ષ ૨ એમ છે માટે કાયોત્સર્ગ કરું છું. ( ૨) ૫ સાધનોના ‘સટ્ટાએ' આદિ ૫ પદ , પછી ‘વઠ્ઠમાણીએ' પદ છે એ આ દરેક ‘સદ્ધાએ, ‘મેહાએ,’ વગેરે સાથે જોડાશે. દા.ત. “સદ્ધાએ વઢ માણીએ, મેહાએ વડુંમાણીએ' ઇત્યાદિ. એમ કાયોત્સર્ગ ધ્યાન વધતી જતી શ્રદ્ધા- મેધાદિ પાંચને સાથે રાખી કરવાનો. માટે એ પાંચ કાયોત્સર્ગના સાધન છે. (ચિત્ર સમજ)- ચિત્રમાં ઉપર સીધી લાઇનમાં છે એમ, ‘અરિહંત ચેઇયાણં' બોલતાં, અહંતુ પ્રતિમાઓ દૃષ્ટિ સામે આવે. દેરાસરમાં હોઇએ તો સામેના પ્રતિમા ધ્યાનમાં લેવા. ‘વંદણવત્તિયાએ' બોલતાં ચિત્રમાંના ૧ અનુસાર કલ્પનાથી હજારો ભક્તો દ્વારા કરાતાં વંદન દેખાય. ‘પૂયણ' થી ચિત્રના ૨ અનુસાર ભક્તોથી કરાતાં પુષ્પાદિથી પૂજન, ‘સક્કા૨૦” થી ચિત્રના ૩ અનુસાર ભક્તોથી કરાતા આંગી-આભૂષણદાન આદિ સન્માન, ‘સમ્માણ’ થી ચિત્રના ૪ પ્રમાણે ભક્તકૃત સ્તુતિ-ગુણગાન દેખાય, એ દરેક દેખતાં અતિ હર્ષ થાય છે કે “વાહ ! આ પ્રભુને લાખો ભક્તોથી કરાતાં વંદન..કેવા સુંદર !' (અનુસંધાન પૃ. ૩૩ પર) છે.
SR No.004986
Book TitlePratikraman Sutra Sachitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy