SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય-પદ જીવનમાં જીતવાનું છે તે આંતરિક શુભ પરિણામ. પર; અને તે આંતરિક પરિણતિ આચારના સુધા પાલન. પર અવલંબે છે. પરિણતિ એ નાજુક ચીજ છે. પરિણતિ ક્ષપશમ પર આધારિત છે, ક્ષયોપશમ પણ નાજુક છે. તે કયારે બંધ પડી જાય તે કહેવાય નહીં, દા. ત., ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો પશમ છે તે, તે પ્રકૃતિનો વિપાક ઉદયનો નિરોધ કરીને થાય છે. “ નિષેક’ એટલે? કર્મ બંધાયા એટલે કર્મ જેટલી કાળ-સ્થિતિમાં છે, તે કાળ-સ્થિતિના પ્રત્યેક સમયે વિપાકમાં આવવા યોગ્ય કર્મલિકે ગોઠવાઈ ગયા એને “નિષેક કહેવાય. નિષેક એટલે એકેક સૂમસમયે ઉદયમાં આવવા યોગ્ય અમુક અમુક કદળિયાં (કમ અણુ)ની રચના. જેમ જેમ તે તે એકેક સમય આવે જાય, તેમ તેમ તે તે સમયનાં કર્મદાળમાં ઉદયમાં આવવાનાં, વિપાકમાં આવવાનાં. હવે ક્ષપશમ કરે એટલે કર્મને ઉદયમાં આવતાં પહેલાં એનો વિપાક રેકી લેવો. એ એવી રીતે કે શુભભાવથી તેના ઉદય-સમયના પૂર્વ સમયમાં તેનું સજાતીય હળવા કર્મમાં સંકુમણુ કરે, એટલે કે એના જેવી બીજી પણ મૃદુ ક–પ્રકૃતિમાં તેને ભેળવી દે, એટલે હવે એ એની સાથે પછીના સમયે ઉદયમાં તો આવશે, પણ પિતાને. મૂળ ઉગ્ર રસ-વિપાક સ્થગિત થઈને મૃદુ રવિપાકથી, ઉદયમાં આવશે. દા. ત. સાધુપણું, તેમાં ત્રીજી કષાયની ચોકડીને અર્થાત પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ કષાયમોહનીય કર્મોને. ક્ષિપશમ જોઈએ, તે ક્ષયોપશમ કરવા માટે એ મોહનીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy