SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્ર–કેમ રેજ ને રોજ સૂત્ર-સ્વાધ્યાય ? ઉ૦-કારણ એ, કે (૧) પ્રાપ્ત કરેલ જ્ઞાન-સમૃદ્ધિ પ્રમાદમાં ગુમાવાઈ ન જાય, (૨) વિષયોને કે ફાલતુ વિકલપથી બચવા મનને આલંબન જોઈએ. સ્વાધ્યાયના આલંબને બેટા વિકલ્પોથી બચાય. ઉપાધ્યાય અર્થ-વિસ્તારના રસિક છે એટલે કે ભણી ગયા પછી પુનઃ પુન: રટણ કરે છે તથા સૂત્ર અને અર્થનું વિસ્તરણ ફેલાવે પ્રચાર કરવામાં અર્થાત એગ્યા વધુ ને વધુ મુનિઓને દાન કરવામાં રસિયા છે; તેમજ અર્થ વિસ્તાર એટલે કે (૧) સ્વયં અર્થને અનેક માગણુ દ્વારથી અનેક નયથી, અનેક દષ્ટિથી, અનેક સંબંધથી વિસ્તૃત રૂપે વિચારવામાં રસિયા છે. અથવા (૨) વિસ્તાર રસિકને બીજો અર્થ, સૂત્ર–અર્થને યોગ્ય શિષ્યોમાં વિસ્તારવામાં અર્થાત શિષ્ય–પ્રશિષ્યોમાં વિસ્તારે, એના રસિયા રસવાળા છે. એથી સૂત્રાર્થ શિષ્ય-પ્રશિષ્યની પરંપરામાં વિસ્તરતો રહે અને શાસનની પરંપરા અવિચ્છિન્ન ધારાએ ચાલ્યા કરે. તેથી ઉપાધ્યાયને એમ કરવામાં પિનાની કૃતજ્ઞતા ઉપરના શાસનન ઉપકારની સામે શાસન પ્રત્યે કૃતજ્ઞતા સચવાય છે, ને શાસનની અખંડિતતા જળવાય છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા જાળવીએ તો ફરીથી આપણને તેમને ઉપકાર મળે છે. શાસન રસિક મહાઉપકારી છે, એવા શાસનના સૂત્ર-અર્થના વિસ્તારના રસિક ઉપાધ્યાયજી મહારાજ તે શાસનની પરંપરાને આગળ ધપાવનારા છે, શાસનને વધુને વધુ વિસ્તાર કરવામાં તત્પર એવા ઉપાધ્યાય ભગવાનને ઉલ્લાસ પૂર્વક નમસ્કાર કરીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy