SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય-પદ ગમે તે થાય ને? ન મુકું વચમાં, જંગલમાં જ મૂકી આવું.' '' તેમણે મડદું ઊંચકયું, આ પહેલા બે ત્રણ સાધુને આચાર્ય મહારાજે શીખવાડી રાખેલ, એટલે જ્યાં હજુ પિતા-મુનિ મુકામની બહાર નીકળ્યા નથી ત્યાં એક મુનિએ પીતાંબર ખેંચીને તરત બીજાએ ચલપટ્ટો એમના શરીરે વીંટી દેવા તૈયાર રાખ્યું હતું, તે પિતા મુનિને બોલવાનું તો હતું જ નહિ, એટલે “ઉં છું” કરતા રહ્યા ને એક મુનિએ પીતાંબર ખેંચી કાઢયું ને બીજા મુનિએ સાથોસાથ ચલપટ્ટો પહેરાવી દીધો. ત્રીજાએ ઉપર કંદોરે બાંધી દીધો, મડદું નીચે મૂકવાનું તો હતું જ નહિ, એટલે હવે ચેલપટ્ટો પહેરેલા એ વૃદ્ધ મુનિ બહાર નીકળી બજાર આખી વીંધીને મડદું લઈ ગયા, જંગલમાં પરઠવીને પાછા આવ્યા, આચાર્ય મહારાજ મુનિઓને ધમકાવી બોલ્યા “આપી દો એમને એમનું પીતાંબર.' પિતા મુનિ કહે: “હવે આખી બજારમાંથી ચલપટ્ટો અડધી ટાંગ ઊઘાડી છતાં પસાર થઈ આવ્ય, દુનિયાની શરમ છોડી. હવે જવાદો, પીતાંબર જોઇતું નથી. આમ ચલપટ્ટો ચાલુ થઈ ગયો, પિતા-મુનિને ગેચારી જતા શી રીતે ? હવે એમને ગોચરી જતા કરવા હતા. વાચનામાં સાધુ-ધર્મ બતાવતાં ગોચરી જવાના લાભ બતાવ્યાં છતાં પ્રેરણ લાગતી નહતી; તેથી એકવાર એમને આહાર પૂછવાની મુનિઓને ખાનગીમાં ના કહીને આચાર્ય બાજના ગામમાં ગયા. મુનિઓના સંઘાટકોએ પોતપોતાની ગોચરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy