SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ પ સુલસાને ધર્મલાભનો સંદેશો ભગવાને મોકલાવ્યો, ત્યારે તેને આ જ થયું : “મારા મહાવીર !'' ‘“નમુત્યુણં’” બોલતી વખતે મનમાં અહોભાવથી અને મમતાથી અરિહંત રમ્યા કરે તો જ શ્રી લલિત વિસ્તરા’ શાસ્ત્ર કહ્યા મુજબ ‘મુદક્ષુપરિપૂર્ણ—લોચનઃ' અર્થાત્ ચૈત્યવંદનમાં ‘નમુન્થુણં' બોલતી વખતે આંખ હર્ષનાં આંસુથી ભરેલી બને. સિદ્ધ ભગવંતો શુદ્ધ સ્વભાવવાળા છે. એમને અશુદ્ધ સ્વભાવ લેશમાત્ર નથી; કેમકે તેમને કોઇ કર્મનો લેપ નથી. તેમને વારંવાર નમસ્કાર કરવાનો તે અહોભાવ સાથે અને એ શુદ્ધ સ્વરૂપની મમતા કરીને કરવાનો. અહોભાવવાળી દ્રષ્ટિ અને મમતા કરવાથી એમ થાય કે “અહો ! અનેરૂં આ શુદ્ધ સ્વરૂપ ! અને મારું સ્વરૂપ પણ એ જ છે, અને તે મારે પ્રગટ કરવાનું છે.'' આમ પોતાના આત્માના શુદ્ધ સ્વભાવના પ્રગટીકરણ માટે સિદ્ધ ભગવંતોને અહોભાવપૂર્વક અને મમતા સહિત વારંવાર નમસ્કાર કરવાનો છે. “ગુણ પર્યાય પરિણતિ સિદ્ધ” આત્માના શુદ્ધ સ્વભાવ સાથે આત્મામાં રહેલ બે ગુણો : સદ્ગુણ અને સત્ પર્યાયની પરિણતિ ઊભી કરવાની છે. ગુણોની પરિણિત એટલે તે ગુણોને આત્માની સાથે પરિણત થઇ ગયેલા—વણાઇ ગયેલા કરવા છે. તે માટે મહા ગુણી સિદ્ધ ભગવંતો છેલ્લું સાધન છે. તેથી સાધનામાં તત્પર બનવા ને સાધનાને સહજ બનાવવા માટે સિદ્ધ ભગવંતોને વારંવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy