SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ ૪૧ પછી જ્યારે ‘બુલ્ઝ બુઝ્ઝ, ચંડકોશિયાં !' એવાં વીર પ્રભુના મધુર વચનથી ચંડકોશિક ક્ષમામાં આવી ગયો, તો હવે ક્ષમાનું દ્રવ્યપ્રમાણ કેટલું બધું વિસ્તર્યું ? ગુસ્સામાં તો પેલા સ્ત્રી પુરુષ વગેરેએ એનું કશું બગાડયું નહોતું, તો ય એમના ૫૨ ગુસ્સો હતો, ત્યારે અહીં તો કીડીઓ એના શરીરની અંદરના અણુ-અણુને કોચી, કરડી કાતિલ વેદના આપી રહી હતી ! એવી હજારો કીડીઓ ક્ષમાનું દ્રવ્ય બની. એમના પર પણ ક્ષમા જ રાખેલી. સિદ્ધમાં ક્ષમા અનંત કેવી રીતે ? આ તો સક્રિયતાની દ્રષ્ટિએ ક્ષમા કીડીઓ ૫૨; બાકી ઓઘથી કોઇ પોતાને કચરી પીસી નાખવા આવે એના પર પણ ક્ષમા જ નક્કી કરેલી. એટલે ક્ષમાગુણ દ્રવ્યથી અનંત જીવ અને જડ માત્ર પર પ્રસરેલો ! આ દ્રષ્ટાન્ત પરથી સમજાશે કે સિદ્ધ ભગવાનને કેવી રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનંત ગુણ આદરેલા છે. દા. ત. એ ક્ષમાગુણ દ્રવ્યથી અનંતની સંખ્યામાં આદર્યો; કેમકે જો ક્રોધ દ્વેષ હોત તો તે અનંતા દ્રવ્યો પર સંભવિત હોત, તો ક્રોધનો અભાવ પણ એ બધા અનંતા પર, ક્ષમા એ બધા અનંતા પર પ્રસરી. સિદ્ધમાં એકેક ગુણ અનંતા કેવી રીતે ? ૫૦ ભલે અનંતા દ્રવ્ય પર ક્ષમા-ગુણ તો માત્ર એકનીજ સંખ્યામાં ને ? એક જ ક્ષમા ગુણ થયો, અનંતા ક્ષમા-ગુણ ક્યાં આવ્યો ? - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy