SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ ૧૭. સદાનંદ'- સત્ એવો આનંદ, સમ્યફ આનંદ, વીતરાગતાનો આનંદ અનુભવનારા. “સત સૌખ્યાશ્રિતા' અનંતસુખને પામેલા. આનો જે નિત્ય આનંદ, અપરિમિત આનંદ, તેનો ભોગવટો કરનાર સિદ્ધ ભગવંત છે; માટે સિદ્ધ ભગવંત અભોગી છતાં ભોગી કહેવાય છે. આ એવા આનંદના ભોગી છે કે જેનો અનુભવ એ જ જાણે. આજે કેટલાક આવો પ્રશ્ન કરે છે કે, પ્ર-મોલમાં તો કાંઈ કરવાનું નહિ. ખાવાનું નહિ, પીવાનું નહિ, કશું જ કરવાનું નહિ, એમને વળી આનંદ શો?' ઉ0- કહો કે તમે જે ખાવાને પીવાને સુખ કહો છો તે ખરેખર તો સુખ નથી પણ ભૂખના દુઃખનું કામચલાઉ નિવારણ છે; બાકી સુખેય નહિ ને ખરેખરા સુખનું કારણેય નહિ. પેંડા એક-બે-ત્રણ ખાય તો સુખ, પણ યજમાન આગ્રહ કરી કરી ને છ સાત ખવડાવી દે તો પછી ઉલટી જેવું થાય છે. એ શું થયું? પેડાથી જ દુઃખ. વિષયોના આનંદ પરાધીન, નાશવંત અને ભાવી દુર્ગતિનાં દુઃખોને નોતરનારા છે. એમાં આનંદ શો ? સાચો આનંદ તો મોક્ષમાં સિદ્ધોને. પ્ર-મોક્ષમાં આનંદ હોવાનું અમને કેમ નથી સમજાતું? ઉ૦-જનમના ખરજવાના દરદીને ખણવાના આનંદનો જ અનુભવ હોય. એ બીચારો ખરજવાના દરદ વિનાના નીરોગીને કેવો આનંદ હોય, એ ન સમજી શકે . સિદ્ધ ભગવંતો અનંત સ્વાભાવિક આનંદના ભોગી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy