SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ ૧૦૯ દ્ધિ ભગવાન જ્ઞાનમાં બધું જુએ છે, પણ તે લેખામાં લેતા નથી. તે સિદ્ધ ભગવાન આતમ-રામ છે, રમાપતિ છે. તેવા સિદ્ધ ભગવંતને આપણે હંમેશ નજર સામે રાખીએ તો સાધ્ય સિધ્ધ થાય. અહીં ઢાળ પૂરી થઈ હવે દુહો,“રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોયે સિદ્ધ ગુણ ખાણી રે.” જે સિદ્ધ ભગવાન રૂપાતીત અરૂપી સ્વભાવવાળા અને કેવળ દર્શન કેવળ જ્ઞાનવાળા છે, તેમનું ધ્યાન કરતાં પોતાનો આત્મા અરૂપી સ્વભાવવાળો થાય છે. આપણો આત્મા ગુણની ખાણવાળો સિદ્ધ બને છે. આત્મા રૂપારૂપી કેમ ? – અરૂપી સ્વભાવ મૂળમાં આત્માનો હતો જ, પણ તે પ્રચ્છન્ન હતો, પ્રગટપણે તો રૂપી શરીર સાથે તે ક્ષીરનીર માફક તદાકાર બની ગયો હતો, શરીર રૂપી, તો પોતે રૂપી, એ રીતે શરીર સાથે તદાકાર બની ગયો હતો, એટલે આત્મા ત્યાં રૂપી-અરૂપી અર્થાત્ રૂપારૂપી હતો, તે હવે સર્વથા અરૂપી બને છે. અરૂપી સ્વભાવવાળો બન્યો એટલે કાયમ માટે કાયાનો સંબંધ રહ્યો નહિ; તેથી હવે તે અરૂપી સ્વભાવમાં આવેલા સિદ્ધ ભગવંતે કોઈ અંશમાં રૂપી નથી, એટલે રૂપીને જે ઉપાધિ આવે છે તે બધાથી રહિત બન્યા. એવા સિદ્ધ ભગવંતનું જે ધ્યાન ધરે છે, તેમણે ય અરૂપી બનવાનું ધાર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy