SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા એ મતિજ્ઞાનાનો પ્રદેશસંક્રમ કહેવાય છે. આશય એ છે કે દરેક આત્મપ્રદેશો પર સત્તાગત બધી પ્રવૃત્તિઓના દલિકો હોય છે. તેમ છતાં, બુદ્ધિથી કલ્પી લઇએ કે મતિજ્ઞાનાવ ના જેટલા દલિકો છે તેનો એક સમૂહ છે, શ્રુતજ્ઞાના ૦ના દલિકોનો બીજો સમૂહ. ઇત્યાદિ. આ એક સમૂહમાંથી દલિકોનું બીજા સમૂહમાં જવું એ પ્રદેશ સંક્રમ કહેવાય છે. અહીં ખ્યાલમાં રાખવા જેવું એ છે કે દલિકોને અહીંથી અહીં ખસવાનું હોતું નથી, માત્ર, વિવક્ષિત સમયે મતિજ્ઞાનાનાકુલ દલિકોમાંથી જેટલાદલિકોમાં સ્વભાવનો ફેરફાર થઇશ્રુતજ્ઞાના અવધિજ્ઞાનાવ વગેરેપણું આવ્યું, તેટલા દલિકોનો પ્રદેશ સંક્રમ કહેવાય છે. એટલે કે પરિવર્તન પામતા દલિકોની વિવલા એ પ્રદેશસંક્રમ છે અને પરિવર્તન પામતી પ્રકૃતિની વિવેક્ષા એ પ્રકૃતિસંક્રમ છે.જેટલાદલિકોમાં માત્ર સ્થિતિ અને અનુભાગનો ફેરફાર થાય છે એ દલિકોનો પ્રદેશ સંક્રમ કહેવાતો નથી, કારણ કે પ્રદેશસંક્રમની પ્રરૂપણા માત્ર પ્રકૃતિના ફેરફારની અપેક્ષાએ જ કરવામાં આવી છે. આ જ રીતે, સ્થિતિની આધાર તરીકે વિક્ષા કરીને પ્રકૃતિનો ફેરફાર એ સ્થિતિસંક્રમ(અન્યપ્રકૃતિનયન) કહેવાય છે. જેમ કે ૧૫ કોડા કોડી સાગરોપમ સ્થિતિનું મતિજ્ઞાનાશ્રુતજ્ઞાના બન્યું તો મતિજ્ઞાનાનો૧૫ કોડા.કોડી સાગરોપમ સ્થિતિસંક્રમ થયો કહેવાય. પ્રકૃતિની અવસ્થિત આધાર તરીકે વિવમા કરીને સ્થિતિમાં જે ફેરફાર થાય તે સ્થિતિની ઉદ્દવર્તના - અપવર્તના કહેવાય છે. જેમ કે મતિજ્ઞાનાવ માં ૧૫ કોડા કોડી સાગરોપમની સ્થિતિમાં રહેલ દલિક ઉપર નીચે ગયું તો ઉદ્વર્તના/અપવર્તના કહેવાય. આ જ રીતે અનુભાગ સંક્રમ અને અનુભાગ ઉવર્તના- અપવર્તના અંગે પણ જાણવું પ્રશ્ન-૫:- કમ્મપયડી તેમજ પંચસંગ્રહમાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી એમ જણાવ્યું છે. જ્યારે આવશ્યક્યૂર્ણિવિશેષાવશ્યકભાથ બ્રહવૃત્તિ, નવશતવૃત્તિ વગેરેમાંસાયિકસમ્યક્ટ્રપ્રાપ્તિની પ્રક્રિયામાં અનંતાનુ0 નો એક અનંતમો ભાગ મિથ્યાત્વમાં નાંખે છે અને એની સાથે મિથ્યાત્વને ખપાવે છે એમ જણાવ્યું છે. તો અનંતાનુ નો મિથ્યાત્વમાં સંક્રમ થાય? ઉત્તર - ૫ :- તત્વાર્થસૂત્રની વૃત્તિ વગેરેમાં અનંતાનુ૪ અને દર્શનગિક એમ ૭ પ્રકૃતિઓને દર્શનમોહનીય (દર્શનસપ્તક) તરીકે અને શેષ ૨૧ પ્રકૃતિઓને ચારિત્ર સંક્રમકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy