SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અને અબાધા જઘન્ય હોય એવું પણ એમાં સંભવે છે. તેથી અમુક ચોક્કસ અબાધાએ સ્થિતિબંધના અમુક ચોક્કસ સંખ્યાના વિકલ્પો જ હોય એવું ન હોવાથી કંડક સ્થાનો અને અર્થેનકંડકની એમાં પ્રરૂપણા અશક્ય છે. માટે એ બે પદ અલ્પબહુત્વમાં ઓછા છે. વળી પર્યાપ્ત પંચેન્દ્રિય સિવાયના જીવભેદોમાં તો ક્રોડપૂર્વથી અધિક આયુષ્ય બંધ હોતો જ નથી. તેથી નિષેની એક પણ દ્વિગુણહાનિ સંભવતી ન હોવાથી દ્વિગુણહાનિના સ્થાનો અને આંતરાના સ્થાનો એ બે પદ પણ એમાં સંભવતા નથી. એટલે તેમાં અલ્પબહુત્વમાં માત્ર છ જ પદો છે. પ્રશ્ન ૬૩ :- લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય ? - ઉત્તર – ૬૩ :- સંખ્યાતગુણ હોય. કારણકે આ જીવો જે આયુષ્યબંધ કરે છે તેના અલ્પબહુત્વમાં જઘન્ય આયુષ્ય કરતાં અબાધાસ્થાનોને સંખ્યાતગુણ અને તેના કરતાં ઉત્કૃષ્ટ અબાધાને વિશેષાધિક વ્હેલ છે. એટલે જણાય છે કે જઘન્ય આયુષ્ય કરતાં ઉત્કૃષ્ટ અબાધા સંખ્યાતગુણ હોય છે. આ ઉત્કૃષ્ટ અબાધા સંભવિત ઉત્કૃષ્ટ આયુષ્યના ત્રીજા ભાગ જેટલી હોય છે. તેથી ત્રીજો ભાગ જો સંખ્યાતગુણ છે તો સંપૂર્ણ આયુષ્ય તો સંખ્યાતગુણ હોય જ એ સ્પષ્ટ છે. છતાં એ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે એ ખ્યાલમાં રાખવું. પ્રશ્ન ૬૪ :- અનંતા. વગેરે ક્યા કષાયના ઉદયકાળે શુભ/અશુભમાં કેટલો રસબંધ હોય? એની પ્રરૂપણામાં અનંતાના કષાયોદયકાળે અશુભમાં ૪ ઠા. અને શુભમાં ૨ ઠા. ૨સબંધ દર્શાવેલો છે. પણ, સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વીને અનંતા૦ નો ઉદય હોવા છતાં એ વખતે અશુભનો ર ઠા. અને શુભનો ૪ ઠા. રસ બંધાવો કહ્યો છે. તો આમાં સાચું શું સમજવું ? ઉત્તર – ૬૪ :– ક્યા કષાયના ઉદયે શુભ/અશુભમાં કેટલો રસબંધ હોય એની અહીં જે પ્રરૂપણા કરી છે તે વ્યવહાર માત્રથી જાણવી. અન્યથા જેમ આ આપત્તિ આવે છે તેમ અન્ય આપત્તિઓ પણ આવે છે. જેમકે અવિરત સમ્યક્તીને અશુભનો ૩ કે ૪ ઠા. રસબંધ હોતો નથી, તેમ છતાં આ પ્રરૂપણામાં ૩ ઠા. રસ બતાવેલ છે. વસ્તુત : અનંતા.ના ઉદયે શુભ-અશુભ બન્નેનો ૨-૩ કે ૪ ઠા. રસ બંધાય છે. અપ્રત્યા૦ અને પ્રત્યા૦ (ઉદયે)- અશુભનો ૨ ઠા. અને શુભનો ૨-૩ કે ૪ ઠા. બંધાય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી - - Jain Education International For Private & Personal Use Only ૬૭ www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy