SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન - ૩૮ - ત્રસપ્રાયોગ્ય રસસ્થાન નિરંતર કેટલા કાળ સુધી જીવશુન્ય રહી શકે ? ઉત્તર - ૮ :- સામાન્યથી અસંખ્ય કાળચક સુધી જીવશૂન્ય રહી શકે. એટલે કે શ્રેણિસિવાયના ત્રસપ્રાયોગ્ય વિવક્ષિત સ્થાનમાં વિવક્ષિત સમયે કોઇ જીવ રહ્યો હોય ત્યારબાદ તે જ અધ્યવસાય સ્થાનને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળચક્ર સુધી કોઇ જ જીવ સ્પર્શે નહીં એવું બની શકે છે. ત્રસ પ્રાયોગ્ય સ્થાનો અસંખ્ય લોકપ્રદેશ રાશિ પ્રમાણ છે જ્યારે ત્રસજીવો પ્રતરના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિપ્રમાણ છે. માટે અસંખ્ય કાળચક્ર અંતર પડી શકે છે. પ્રશ્ન - ૩૯ :- બાદર પર્યાપ્ત જીવોમાં પ્રત્યેક અને સાધારણ જીવોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટ સંક્લેશ તુલ્ય હોય છે કે હીનાધિક? * ઉત્તર - ૩૯ :- બને જીવોના ઉત્કૃષ્ટ સંક્લેશ અને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ તુલ્ય હોય છે. આમાં કારણ એ છે કે કમ્મપયડીમાં સ્થાવરપ્રાયોગ્ય દરેક રસબંધ સ્થાનોમાં અનંતા જીવો હોવા કહ્યા છે. મહાબધમાં પણ સાત કર્મના જઘન્ય સ્થિતિ બંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં બંધક જીવો અનંતા હોવાનું પ્રતિપાદન ક્યું છે. સાધારણ જીવોને છોડીને શેષ બંધકજીવો તો અનંતા હોતા નથી. માટે જણાય છે કે સ્થાવરપ્રાયોગ્ય દરેક રસબસ્થસ્થાનો અને સ્થિતિબંધસ્થાનોને સાધારણ જીવો પણ બાંધે જ છે. માટે પ્રત્યેક અને સાધારણ એ બનેને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અને સંક્લેશ તુલ્ય જ હોય છે, જૂનાધિક નહિ. પ્રશ્ન - ૪૦ :- રસબંધના અધ્યવસાયસ્થાનોમાં ચતુ: સામયિક અધ્યવસાયથી માંડીને અષ્ટસામયિક અધ્યવસાયસ્થાનો હોય છે અને એ પછી સપ્તસામયિક, છ સામયિક. યાવત્ સિામયિક અધ્યવસાયસ્થાનો હોય છે. આમાં અષ્ટસામયિક સ્થાનો સૌથી અલ્પ હોય છે. તેના કરતાં બન્ને બાજુના સપ્તસામયિક અધ્યવસાય સ્થાનો અસંખ્ય ગુણ હોય છે અને પરસ્પર તુલ્ય હોય છે. એના કરતાં બન્ને બાજુના છસામયિક અધ્યવસાયસ્થાનો અસંખ્યગુણ હોય છે.. એમ યાવત્ દ્વિસામયિક અધ્યવસાયસ્થાનો સુધી જાણવું. આ બધામાં અસંખ્યગુણ અસંખ્યગુણ જે કહ્યું છે તેમાં ગુણક કોણ છે? વળી રસબંધના જઘન્ય સ્થાન કરતાં ઉત્તરોત્તર સ્થાનોમાં જીવોની સંખ્યા વિશેષાધિકવિશેષાધિકહોય છે. એમાં ક્રમશ: દ્વિગુણવૃદ્ધિના ઘણાં કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy