SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃતિઓ જ બાંધે છે. પ્રતિપક્ષી અશાતા વગેરે બાંધતો નથી. જયારે છઠ્ઠા પ્રાયોગ્ય જઘન્ય અંત:કો. કો. સુધી અશાતા પણ પરાવર્તમાન ભાવે બંધાય છે. અને એની નીચે જ માત્ર શાતા બંધાય છે. તો શું સભ્યપ્રાપ્તિ કાલીન વિશુદ્ધિ છ&ા ગુણઠાણા કરતાં અધિક હોય છે? ઉત્તર-૮ સભ્યત્વપ્રાપ્તિ પૂર્વના ચરમસમય મિથ્યાત્વીની વિશુદ્ધિ કરતાં પણ છઠ્ઠા ગુણઠાણાની જઘન્ય વિશુદ્ધિ પણ અનંતગણ જ હોય છે. તેમ છતાં જ્યારે ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધિ ન હોય અને મધ્યમ સ્થિર જેવા પરિણામ હોય ત્યારે શાતા અને અશાતા બને પરાવર્તમાન ભાવે બંધાય છે. સમ્યક્તપ્રાપ્તિ કરનાર મિથ્યાત્વી ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધિમાન હોવાથી અશાતા બંધાતી નથી. છેકે ગુણઠાણે પણ જે અધ્યવસાયસ્થાનો પર (મધ્યમપરિણામના કારણે ) પરાવર્તમાન ભાવે અશાતા પણ બંધાય છે એ જ અધ્યવસાયસ્થાનો જો અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધમાન અવસ્થામાં આવે તો એ વખતે માત્ર શાતા જ બંધાય છે, અશાતા બંધાતી નથી. એટલે વિશુદ્ધિ તો સંયમીની જ અધિક હોવામાં કોઈ વાંધો નથી. પ્રશ્ન-૯ પ્રથમસમ્યજ્યોત્પાદનામાં દર્શનમોહનીયને ઉપશાંત રહેવાનો કાળ કેટલો હોય છે? ઉત્તર-૯ અંતર્મુહૂર્તપ્રમાણ હોય છે. કર્મપ્રકૃતિચૂણિને અનુસરીને આ અંતર્મનું પ્રમાણ આ મુજબ જાણવું. સાધિક આવલિકા પ્રમાણ અંતર શેવ હોય ત્યારે, અંતરની એ ચરમ આવલિકામાં, બીજી સ્થિતિમાંથી ત્રણે પુંજનું દલિક લઇ ગપુચ્છાકારે ગોઠવે છે. અને એ ચરમઆલિકાના પ્રથમસમયે અધ્યવસાયાનુસારે એક પુંજનો ઉદય થાય છે. આમ ત્રણ પુંજને ઉપશાંત રહેવાનો કાળ આવલિકાનૂન અંતર્મુo જેટલો થયો. જો એ જીવ સાસ્વાદને પામવાનો હોય તો અંતર ઉત્કૃષ્ટથી આવલિકા શેષ હોય ત્યારથી અનંતાનો ઉદય થઈ સાસ્વાદને પામે છે. પણ મિથ્યાત્વનો તો એ ૬ આવલિકા કાળ પસાર થયા પછી જ ઉદય થાય છે. એટલે એવાજીવને દર્શનમોહની ત્રણે પ્રકૃતિઓ અંતરનો જેટલો કાળ હોય એટલો કાળ ઉપશાંત રહે છે. કરાયપ્રભુતાચૂર્ણિની અપેક્ષાએ વિચારીએ તો દર્શનમોહ ઉપશાંત રહેવાનો કાળ અંતર કરતાં સંખ્યાતમા ભાગે હોય છે. ૧૫૫ ઉપશમનાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy