SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જુદાં જુદાં અનેક કાર્યો એકી સાથે થાય છે. પ્રશ્ન - ર :- વીર્યનું અલેશ્ય અને સલેશ્ય... વગેરે રૂપે જે વિભાજન કર્યું છે એને જ બીજી રીતે દર્શાવી શકાય? ઉત્તર - ૨ :- હા,આ રીતે – - સાયિક માયોપથમિક અશ્યિ સલેશ્ય સલેશ્ય (અયોગકિવલી, સિને) (સયોગી કેવલીને) | અક્યાય (૧૧, ૧૨મે) સક્લાય (૧ થી ૧૦ મે, અભિસંધિજ અનભિસંધિજ અભિસંધિજ અનભિસંધિજ અભિસંધિજ અનભિસંધિજ આમાં કાયિક અને માયોપથમિક અને પ્રકારનું જેસલેશ્યવીર્ય છે એના લબ્ધિવીર્ય અને ઉપયોગવીર્ય એમ બે ભેદ પણ પાડી શકાય છે. કારણ કે વિર્યાન્તરાયનાલયથી કે ક્ષયોપશમથી જેટલું વીર્ય પ્રકટ થાય છે એટલું યોગસ્થાન હોતું નથી. ક્ષય કેમયોપશમથી પ્રકટ થયેલી વીર્યલબ્ધિ એલબ્ધિવીર્ય છે અને મન વગેરેના પુદગલોના સહકારથી થયેલ યોગસ્થાન એ ઉપયોગવીર્ય છે. પ્રાય: કરીને અનભિસંધિજ વીર્ય અલ્પ હોય છે અને અભિસંધિજ વીર્ય વધુ હોય છે. માટે એ બે ભેદ પાડવામાં આવે છે. પ્રશ્ન - ૩ :- અનભિસંધિજ વીર્ય એટલે શું? ઉત્તર-૩:- “બુદ્ધિશૂન્ય રીતે થતી પ્રવૃત્તિનું વીર્યએ અનભિસંધિજ વીર્ય આવી એની વ્યાખ્યા છે. આમાં “બુદ્ધિશૂન્ય' આવું જ કહ્યું છે તેને પ્રવૃત્તિનું વિશેષણ ન માનતાં ઉપલક્ષણ માનવું. અન્યથા “બુદ્ધિ એટલે ઉપયોગ અભિપ્રેત હોવાથી અને કેવલી ભગવંતોને સર્વત્ર ઉપયોગ હોવાથી લોહીભ્રમણ વગેરેમાં ઉપયોગ ભળેલો જ હોવાના કારણે એ અનભિસંધિજ વીર્ય નહીં થાય. સામાન્યથી છદ્મસ્થની જે ક્રિયાઓ બુદ્ધિશૂન્યપણે થતી હોય તે બધી બુદ્ધિશૂન્યત્વેન ઉપલલિત કહેવાય. તેથી કેવલીઓને એ ક્રિયાઓ ઉપયોગપૂર્વક બંધનકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy