SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્ધકો છૂટી શેષ સઘળાં સ્પર્ધકોમાં નિક્ષેપ થાય છે, માટે એ ઉત્કૃષ્ટ અનુભાગદંડકથી વિશેષાધિક મળવામાં કોઇ અસંગતિ નથી. પ્રશ્ન-૮ સ્થિતિઅપવર્તનામાં ઉત્કૃષ્ટનિક્ષેપ સમયાધિકબેઆવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિ જેટલો કહ્યું છે. આનો અર્થ એ થાય કે ઉત્કૃષ્ટસ્થિતિબંધ થયા બાદ બંધાવલિકા વીત્યે તરત અપવર્તન થાય છે અને એક અતિ સ્થાપના આવલિકા તેમજ અપવર્તમાન ચરમનિષેકસિવાય સર્વત્રનિક્ષેપથાય છે. તો શું ઉક્ટસ્થિતિબંધ થયા બાદ એક આવલિકા પછી તૂર્ત સ્થિતિઘાત થાય? ઉત્તર-૪ આ ઉત્કૃષ્ટનિલેપ જે કહ્યો છે તે નિર્ચાઘાતભાવિની અપવર્તનાનો છે અને એને બંધાવલિકા બાદ થવામાં કોઇ દોષ નથી. એટલે વ્યાઘાતભાવિની અપવર્તના એક આવલિકા બાદ તૂર્ત થવા માંડે એવું આના પરથી ફલિત થતુંનથી. ઉત્કૃષ્ટસ્થિતિબંધ કર્યા પછી અંતર્મુહુર્ત સ્થિતિઘાત થઇ શકે, એક આવલિકાએ નહી. પ્રમ- સ્થિતિની ઉદ્દવર્તના અપવર્તનાને અનુસારે જ રસની ઉવર્તનાઅપવર્તના થાય એવો નિયમ ખરો? ઉત્તર – ૯ ટીકાકારોએ રસની ઉવર્તના અપવર્તના માં આવો નિયમ માન્યો છે. અને તેથી જે સ્થિતિનિકો ઉદ્દવર્ચમાન હોય તેમાંના દલિકોના રસસ્પર્ધકની પણ ઉદ્વર્તન થાય અને, એ સ્થિતિનિકોના ઉદ્વર્તિત દલિકોનો જે સ્થિતિનિકોમાં નિક્ષેપ થાય એ જ સ્થિતિનિકોમાં રહેલા દલિતોના રસસ્પર્ધકોમાં ઉદ્વર્તિત રસસ્પર્ધકનો નિક્ષેપ થાય. એટલે ઉપરના આવલિકા + આ = જેટલાં સ્થિતિનિકોમાંથી સ્થિતિઉદ્વર્તના નથી થતી, તો એમાંથી રસઉદ્દવર્તના પણ થતી નથી. મૂળકાર અને ચૂર્ણિકારે ઉપરના જે અનંતા રસસ્પર્ધકોની ઉદ્વર્તનાનો નિષેધ કર્યો છે તે સ્પર્ધકો આ નિષેકોમાં હોય છે એમ ટીકાકારોએ જણાવ્યું છે, અને તેથી એમાંથી ઉદવર્તના થતી નથી. એ જ રીતે નીચેના અનંતાસ્પર્ધકોમાંથી અપવર્તના થતી નથી વગેરેનો અર્થ ટીકાકારોએ એવો કર્યો છે કે સાગત પ્રથમ સ્પર્ધકથી લઇ અનંતા સ્પર્ધકો ઉદયાવલિકામાં હોય છે, અને ઉદયાવલિકામાંથી જેમ સ્થિતિઅપવર્તના નથી તેમ રસઅપવર્તના નથી. ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયમાંથી સ્થિતિઅપવર્તન થઇ જેમ સમયાધિકv૩ આવલિકામાં નિલેપ થાય છે તેમ ઉદયાવલિકાબહારના એ પ્રથમનિષેકગત દલિકોના રસની અપવર્તન થઈ સમયાધિક ૧૩ આલિકાના નિષેકોમાં જે રસસ્પર્ધકો હોય તેમાં નિક્ષેપ થાય છે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧ર૦ a Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy