SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પબદુત્વમાં ૧૭મા નંબરે ડાયસ્થિતિ કહીને પછી ૧૮ મા નંબરે અંત: કો. કોને એના કરતાં સંખ્યાતગુણ કહેલ છે.વ્યાઘાતભાવિની અપવર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ દેશોનડાયસ્થિતિ કહ્યો છે અને ઉત્કૃષ્ટ નિક્ષેપ કરતાં સર્વકર્મસ્થિતિ વિશેષાધિક કહેલ છે. એટલે જણાય છે કે એ ડાયસ્થિતિ-અંત:કો.કો.ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ- પ્રમાણ છે. માટે આ બન્ને ડાયસ્થિતિઓ જુદી છે. બંધનકરણમાં જે ડાયસ્થિતિ છે તે ઉપર ચડવા માટે છે જ્યારે વ્યાઘાતભાવિની અપવર્તનામાં જે ડાયસ્થિતિની વાત છે તે નીચે ઉતરવા માટે છે. એટલે કે એવું જઘન્ય સ્થિતિસ્થાન કે જ્યાંથી જીવ અનંતર સમયે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન સુધી પહોંચી શકે એને બંધનકરણમાં ડાયસ્થિતિ તરીકે કહેલ છે. ઉત્કૃષ્ટસ્થિતિસત્તા ધરાવતો જીવ ઉત્કૃષ્ટથી જેટલા દીર્ઘતમઆયામવાળા સ્થિતિખંડને ઉકેરીને સીધો અંત: કો. કો.સત્તાવાળો થઈ જાય એ આયામને અપવર્તનામાં ડાયસ્થિતિ તરીકે કહેલ છે. (અપવર્તના સંબંધી ડાયસ્થિતિની આ વ્યાખ્યા પણ પંચસંગ્રહાનુસારે જાણવી, કેમ કે એમાં ઉત્કૃષ્ટ કંડ કનું પ્રમાણ ડાયસ્થિતિ જેટલું કહ્યું છે. કર્મપ્રકૃતિમાં એનું પ્રમાણ દેશોનડાયસ્થિતિ જેટલું કહ્યું હોવાથી જણાય છે કે એવો ઉત્કૃષ્ટસ્થિતિઘાત જ્યારે કરે ત્યારની સ્થિતિસત્તા જ એના મતે ડાયસ્થિતિ તરીકે અભિપ્રેત છે.) આમ બંધનકરણોક્ત ડાયસ્થિતિ અને અપવર્તનાકરાણોક્ત ડાયસ્થિતિ જુદી જુદી છે. વળી સ્થિતિસત્તાની ઉત્કૃષ્ટવૃદ્ધિ કરતાં ઉત્કૃષ્ટ હાનિ અધિક હોય છે. તેથી બંધનકરણોક્ત બદ્ધ ડાયસ્થિતિ કરતાં અપવર્તનાધિકારની આ ડાયસ્થિતિ મોટી હોય છે એ જાણવું. પ્રશ્ન-૬ વ્યાઘાતભાવિની રસ અપવર્તનામાં રસઘાત કેટલો થાય છે? ઉત્તર-૬ સાગત અનુભાગનો અનંતબહુભાગ રસ ખંડાય છે અને એક અનંતમો ભાગ રસ શેષ રહે છે. આવું એના પરથી જણાય છે કે કંડક કરતાં સર્વઅનુભાગ વિશેષાધિક કહેવામાં આવેલ છે. પ્રશ્ન-૭ અનુભાગની અપવર્તનાના અલ્પબદુત્વમાં વ્યાઘાતભાવિની અપવર્તનાના ઉત્કૃષ્ટ અનુભાગ કંડક કરતાં ઉત્કૃષ્ટ નિક્ષેપને વિશેષાધિક કહ્યો છે. શાત્યમાન અનુભાગખંડકે જે અનંતબહુભાગ રસસ્પદ્ધવાળો છે તેમાં નિક્ષેપ તો થતો નથી, અઘાત્યમાન રસ તો અનંતમો ભાગ જ છે, તો નિક્ષેપ વિશેષાધિક શી રીતે? ઉત્તર-૭ એ ઉત્કૃષ્ટર્નિક્ષેપ વિશેષાધિક જે કહ્યો છે તે નિર્ચાઘાતે અપવર્તનાનો ઉત્કૃષ્ટનિક્ષેપ છે. એમાંતચરમસ્પર્ધન્નાદલિકોની અપવર્તનથઇઅતિસ્થાપનાગત ૧૧૯ ઉદ્વર્તના-અપવર્તનાકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy