SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ એમ લાગે છે.તત્ત્વ કેવલિગમ્યમ પ્રશ્ન-૫૩ પરાઘાત, પંચેન્દ્રિય જાતિ વગેરે ૧૨ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ માટે સાધિક ૧૩ર સાગરોપમ સુધી સખ્ય અવસ્થા જે બતાવી છે તેમાં ૪ વાર ઉપશમશ્રેણિનો સમાવેશ ખરો કે નહીં? ઉત્તર-૫૩ હા, જઘન્ય પ્રદેશસંક્રમ માટે ઉપશમશ્રેણિનો નિષેધ કર્યો છે એનાથી જણાય છે કે ઉપશમશ્રેણિ દ્વારા આ શુભપ્રકૃતિઓ અન્ય અશુભપ્રકૃતિઓના ગુણસંકમથી પુષ્ટ થાય છે. પ્રશ્ન-૫૪ કલાયમોહનીય અને નોકવાયમોહનીયનો પરસ્પરસંક્રમ થાય? ઉત્તર-પ૪ નોકવાયોને બંધાત્કૃષ્ટ નથી કહ્યા પણ સંક્રમોત્કૃષ્ટ કહેલ છે. નોક્લાયનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦ કો. કો. છે ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિસત્તા આવલિકાનૂન ૪૦ કો. કો. છે. એટલે કષાયો તો નોધાયોમાં સંક્રમે જ છે. વળી હાસ્યાદિ, શ્રેણિમાં સંજવલન કોધ માં સંક્રમે છે એ તો સ્પષ્ટ જ છે. સામાન્યથી, ચારિત્રમોહનીયની સાગત કોઇ પણ પ્રકૃતિ ચારિત્રમોહનીયની બધ્યમાન બધી પ્રવૃતિઓમાં સંક્રમે છે આવું શાસ્ત્રીય વિધાન છે. એટલે કષાય-નોકવાયોનો પરસ્પર સંક્રમ થાય છે એ નિશ્ચિત છે. શંકા-જો ક્યાયોનું દલિકનોલાયમાં જઈ શકે છે તો હાસ્યાદિનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ જે ૪ થી ૮ મા ગુણઠાણે કહ્યો છે તે માત્ર ૬, ૭, ૮મા ગુણઠાણે જન કહેત? કારણકે ત્યાં અપ્રત્યા પ્રત્યા૦ કલાય બંધાતા ન હોવાથી એના ભાગનું દલિક પણ હાસ્યાદિને મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મળે ને. સમાધાન- હાસ્યાદિનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ અવિરત સમ્યક્તીને હોય છે એમ પંચસંગ્રહવૃત્તિમાં કહેલ છે જેનો અભિપ્રાય અગમ્ય છે). બધશતશૂર્ણિ અને કર્મમળ્યવૃત્તિમાં ૪થી ૮ ગુણઠાણે કહેલ છે. આ ગુણઠાણાઓએ મિથ્યાત્વ બંધાતું નથી. એટલે એના ભાગનું દલિક પણ ચારિત્રમોહને જ મળતું હોવાથી હાસ્યાદિને અધિક મળે. બીજે-ત્રીજે પણ મિથ્યાત્વ બંધાતું ન હોવા છતાં ઉત્કૃષ્ટ યોગ ન લેવાથી ૪ થી૮ ગુણઠાણા કહ્યા છે. પણ આટલા માત્રથી કષાયનો સંક્રમ નોકષાયમાં થતો નથી એવું માની લેવાની જરૂર નથી. બંધ વખતે દલિકોનું વિભાજન અને કોના ભાગનું દલિક કોને જાય એની વ્યવસ્થા કરતાં સંક્રમ દ્વારા કોનું દલિક કોને મળે એ વ્યવસ્થા જુદી છે. આબેનું સાંકર્ય કરવું જોઇએ.એટલે કે અમુક કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy