SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૨) ૩ કરણ કરે.. અંતરકરણ હોતું નથી. (૩) અપૂર્વકરણથી દર્શનદ્ધિકનો ગુણસક્રમ ચાલુ થાય છે. તેમજ ઉદ્દલના પણ ચાલુ થાય છે. એનો પ્રથમખંડ સૌથી મોટો હોય છે. પછી ઉત્તરોત્તર વિશેષહીન-વિશેષહીન.. એમ યાવત્ અપૂર્વકરણના અંત સુધી. (૪) અપૂર્વકરણના પ્રારંભે જે સ્થિતિસત્તા હોય તે અંતે સંખ્યાતગુણહીન હોય છે. આ જ રીત સ્થિતિબધ માટે જાણવું. (૫) અનિવૃત્તિકરણ પ્રવેશે... અપૂર્વ સ્થિતિખંડ સ્થિતિઘાત- રસઘાતગુણશ્રેણિ ચાલુ થાય છે. પ્રથમ સમયથી દર્શનમોહની દેશોપશમના નિત્તિ અને નિકાચના સ્થગિત થાય છે. (૬) હજારો સ્થિતિઘાત પછી દર્શનમોહની સ્થિતિસત્તા અસંજ્ઞી પંચે તુલ્ય થાય છે. (૭) એમ ક્રમશ: હજારો હજારો સ્થિતિઘાત પછી ચઉ તેઇ બેઇ અને એકે પ્રાયોગ્ય સ્થિતિસત્તા થાય છે. (૮) પછી હજારો સ્થિતિઘાત બાદ સ્થિતિ ૧ પલ્યોપમ થાય છે. (પંચસંગ્રહના મતે P/s થાય છે.) અત્યાર સુધી ઘાત્યમાન સ્થિતિખંડો P/s ના હતા. હવેથી દર્શનમોહના નવા-નવા સ્થિતિખંડ એવા હોય કે જેથી સંખ્યાતબહુભાગસત્તાને ખાડી નાંખે, એક સંખ્યાતમો ભાગ બાકી રહે. એટલે કે સખ્યાત ગુણહીન સંખ્યાતગુણહીન સત્તા ઉત્તરોત્તર થાય છે. પછી દર્શનમોહની સ્થિતિસત્તા P/s રહે છે. (૯) એ બહુ જ નાનો P/s સત્તા બાકી રહે, ત્યારબાદ હજારો ગયા પછી એક સ્થિતિઘાત એવો આવે છે જેમા મિથ્યાત્વના અસ૰ બહુભાગ ખંડાઇ જાય છે. શેષ ૨ ના સંખ્યાતબહુભાગ જ ખંડાય છે. (૧૦) આવા હજારો ગયા બાદ મિથ્યાત્વની ૧ આવલિકા સ્થિતિશેષ રહે છે જેને પછી સ્તિબુસક્રમથી ખપાવી દે છે. જA સામાન્યથી સર્વત્ર અનિવૃત્તિકરણે ઉદ્દલના હોય છે. પણ દર્શનમોહ ક્ષપણાના અધિકારમાં કમ્મપયડી અને પંચસંગ્રહમાં બન્નેમાં અપૂર્વકરણે પણ ઉલના હી છે એટલી વિશેષતા જાણવી.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy