SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુરિયન્સપરપ્રસ્થાનારાધક, કર્યસાહિત્યનિષ્ણાત, અધ્યાત્મરસિક સવ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ, તથા શ્રીસૂરિમંત્રપંચપ્રસ્થાનની ચારવાર આરાધના કરનારા આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજ. આ આખી સુવિહિત ગુરુપરંપરાનો દશ્ય-અદશ્ય અનુગ્રહનો ફાળો પણ, આ પદાર્થસંકલનામાં નાનોસૂનો નથી. આ પ્રકાશનનું સુંદર-સુઘડ સંપાદન કરનાર મુનિરાજશ્રી દિવ્યરત્ન વિજયજી અને મુનિરાજશી અતિશેખર વિજયજી તથા સહાયગુણ સંપન સહવર્તી પ્રત્યેક મહાત્માઓ પણ, અત્ર સ્મરણીય છે. સોલાપુરના શ્રીશ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આ બીજા ભાગનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનનિધિમાંથી લઇ એક અનુમોદનીય અને અનુકરણીય સુક્ત કર્યું છે. પ્રસ્તુત સંકલનના ત્રીજા વિભાગમાં, બે વિભાગમાં આવેલા પદાર્થો સંબંધી અનેક ઊંડાણભર્યા પ્રશ્નો ઉઠાવી એનાં ઉત્તરો આપવાનો પ્રયાસ કર્યો છે જે આ વિષયનાં અનેક રહસ્યો ખોલી આપી જિજ્ઞાસુઓની શ્રુતસંપત્તિમાં સુંદર વૃદ્ધિ કરશે એવી શ્રદ્ધાપૂર્ણ આશા છે. આ મહાન ગ્રન્થના દરેક અધ્યાપકઅધ્યેતાઓને એ ત્રીજો ભાગ પણ ભણવા માટે હું નમ્ર ભલામણ કરું છું. પ્રાને, સર્વજ્ઞકથિત પદાર્થોથી જે કાંઇ વિપરિત નિરૂપણ આ સંકલનમાં, અનાભોગ, પ્રમાદ વગેરે કારણે થઇ ગયું હોય તેનું મિચ્છામિ દુકકડમ. ગીતાર્થ મહાત્માઓને. આમાં જે કાંઇ પદાર્થભૂલ જણાય એનું સંશોધન કરવા તેમજ મને જણાવવા માટે વિનમ્ર વિનંતી છે. તેમજ આ સંકલનાનો વધુમાં વધુ સ્વાધ્યાય કરી મારા પરિશ્રમને સફળતા બતાવામાં પોતાનો ફાળો નોંધાવવા પ્રત્યેક જિવાસુઓને હું હાર્દિક પ્રાર્થના કરું છું. મુનિ અભયશેખરવિજય” ૦૦૦૦૦ બોરીવલી, મુંબઈ, વિ.સં.૨૦૪૮
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy